Intentar ORO - Gratis
લાડો લાડી જમે રે કંસાર.. કંસાર કેવો ગળ્યો લાગે છે..
Chitralekha Gujarati
|February 20, 2023
માનવજીવનમાં મોટામાં મોટો પ્રસંગ એટલે લગ્ન. લગ્ન એ બે વ્યક્તિનાં જ નહીં, બે પરિવારોનાં જોડાણ છે. આ માટેનાં વિવિધ વિધિ, રિવાજ, રૂઢિ તથા એની પાછળના મર્મ રસપ્રદ છે.

અમદાવાદના એક પાર્ટી પ્લૉટમાં વરરાજા જાન લઈને આવ્યા. લગ્નસ્થળના પ્રવેશદ્વાર પાસે કન્યાનાં માતા શિલ્પાબહેને જમાઈ કૈવલકુમારને ગોર મહારાજની સૂચના મુજબ પોંખ્યા. એક નાનકડી વિધિ માટે કૈવલકુમાર મોજડી ઉતારી બાજોઠ પર ઊભા રહેવા ગયા ત્યાં શિલ્પાબહેને જમાઈનું નાક ખેંચી લીધું. ચોમેર હસાહસ થઈ. એ જ વખતે નવવધૂની નાની બહેન અને એની સખીએ કોઈને અંદેશો ન આવે એ રીતે કેવલરાજાની મોજડી સેરવી લીધી. બાજોઠથી નીચે પગ મૂકતાં એક દિવસના રાજા કૈવલને અને એમના પ્રધાન એટલે કે અણવરને ખયાલ આવ્યો કે મોજડી ગાયબ છે. એ પછી પોતાની જ મોજડી પાછી મેળવવા કૈવલકુમારે સાળી તથા સખીવૃંદને પ૦૦૧ રૂપિયા આપ્યા. (ઓરિજિનલ ડિમાન્ડઃ ૧૦,૦૦૧) અલબત્ત, રાજીખુશીથી, હળવા વાતાવરણ વચ્ચે.
મહર્ષિ પારસ્કર રચિત શુક્લ યજુર્વેદ સંલગ્ન સૂત્ર ગ્રંથ પારસ્કરગૃહ્ય સૂત્રમાં માનવજીવનના સોળ સંસ્કાર દર્શાવ્યા છે. એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન (વિવાહ) સંસ્કાર. ગૃહ્ય સૂત્રમાં લગ્નની ૩૦ વિધિ દર્શાવવામાં આવી છે. મનુ સ્મૃતિમાં આઠ પ્રકારનાં લગ્નમાં બ્રાહ્મ લગ્ન આદર્શ ગણાય છે. તો જાણીતા ઈતિહાસકાર ડૉ. થોમસ પરમાર લખે છે: ‘પ્રદેશ, જાતિ-જ્ઞાતિ અને સમય પ્રમાણે જુદી જુદી ધાર્મિક અને વૈદિક વિધિ હોય છે. વિધિના ઓથે ધર્મ, નીતિ, સમાજ, વગેરેની ભાવનાને ધાર્મિક અને લૌકિક વિધિ રૂપે સાંકળી લેવાય છે. ક્યાંક એનો અર્થ હોય છે તો ક્યાંક એ ફક્ત પ્રતીકાત્મક હોય છે.’
આવી કેટલીક વિધિ, રિવાજ જોઈએ તો, વરરાજા સાજનમાજન લઈને આવે ત્યારે પ્રવેશદ્વાર પાસે વર-વધૂ એકમેકને ફૂલના હાર પહેરાવે ત્યારે વરરાજાના મિત્રો એને ઉપર ઊંચકી લે છે જેથી કન્યા એને હાર પહેરાવી ન શકે. અમદાવાદની બી.ડી. આર્ટ્સ કૉલેજના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. વાસુદેવ પાઠક કહે છે કે વાસ્તવમાં વર કે કન્યાને ઊંચકવાનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. કેવળ વિનોદવૃત્તિથી આ પ્રથા અમલમાં આવી હોઈ શકે. અન્ય રિવાજો..
જમાઈનું નાક ખેંચવું
Esta historia es de la edición February 20, 2023 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size