Intentar ORO - Gratis

પછી તો જેવી ભગવાનની મરજી..

Chitralekha Gujarati

|

November 21, 2022

મોરબીના ઝૂલતા પુલનો કૅબલ તૂટ્યો અને ૧૩૫ જણના જાન લેતો ગયો એ ભગવાનની મરજી હતી કે આપણી નિષ્કાળજી?

- દીપક સોલિયા

પછી તો જેવી ભગવાનની મરજી..

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો એ મામલે પુલનો વહીવટ સંભાળનારી કંપનીના મૅનેજર દીપક પારેખે કોર્ટમાં એવી રજૂઆત કરી કે આ વખતે (પુલ ખુલ્લો મુકાયો એ વાતે) ભગવાન રાજી નહીં હોય એટલે આવું થયું.

આ નમ્ર અને ભક્તિપૂર્ણ રજૂઆત સાંભળીને મેજિસ્ટ્રેટ સાહેબે દીપક પારેખની ઝાટકણી કાઢી. અહીં પણ શું એ જ વાત લાગુ પડી હશે? ભગવાન રાજી નહીં હોય એટલે મેજિસ્ટ્રેટ નારાજ થયા હશે?

આમ પણ સામાન્ય માનવી તો માનતો જ હોય છે કે ભગવાનની ઈચ્છા વિના આ પૃથ્વી પર પાંદડું પણ ન હલી શકે. તો શું ખરેખર જગતમાં બધેબધું ભગવાનની મરજી પ્રમાણે જ થાય છે?

આ સમજવા માટે પહેલાં તો ભગવાનની મરજી એટલે શું એ સમજવું પડે.

આસ્તિકો જેમને ભગવાન કહે છે એના માટે નાસ્તિકો તથા વિજ્ઞાનીઓ જે શબ્દ વાપરે છે એ છે કુદરત અથવા તો પ્રકૃતિ. આ જગતની બધી જ કુદરતી ઘટના કુદરતના નિયમ એટલે કે ભગવાનની મરજી મુજબ બને છે. સફરજન ઝાડ પરથી ઉપર ઊડી જવાને બદલે નીચે પડે છે એની પાછળના કારણને ન્યૂટને ગુરુત્વાકર્ષણનું નામ નહોતું આપ્યું એ પહેલાં પણ એ વૈજ્ઞાનિક નિયમ-ભગવાનની મરજી તો કામ કરતાં જ હતાં અને સફરજન ઉપરથી નીચે જ પડતું હતું.

સો-બસ્સો માણસનો ભાર ઊંચકી શકનારા પુલ પર જ્યારે ત્રણસો-ચારસો જણ ભેગા થઈ જાય તો પુલ તૂટે જ... ખવાઈ ગયેલા કૅબલ્સ પર ઝાઝું વજન આવે તો કૅબલ્સ તૂટે જ... તૂટનારા પુલ પરના મનુષ્યો પીછાંની જેમ ધીમે ધીમે નીચે ન આવે, બલકે જોરથી નીચે પટકાય જ... જ્યાં ચોકસાઈ ન હોય ત્યાં લોચા પડે જ... આ બધા કુદરતના અફર નિયમો છે. એટલે જો દીપક પારેખ સમગ્ર પુલ-દુર્ઘટનાને ભગવાનની મરજી તરીકે ઓળખાવતા હોય તો એ ખોટા નથી, પણ સવાલ એ છે કે ભગવાનની મરજી એટલે કે કુદરતના આ બધા અફર નિયમોની સૌને પહેલેથી જાણ હતી જ. તો પછી એનો ભંગ શા માટે કરવામાં આવ્યો?

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size