Intentar ORO - Gratis

કોઈ ડૉલરને દેશબહાર જતાં રોકો

Chitralekha Gujarati

|

July 25, 2022

રિઝર્વ બૅન્ક સામે હાલમાં મોંઘવારીનો પડકાર અને ચિંતા ઊભાં છે જ, ત્યાં વળી ડૉલરનો સતત બહાર જતો પ્રવાહ અને એને પગલે રૂપિયાની નબળાઈ નવી મુશ્કેલી ઊભી કરી રહી છે.

- જયેશ ચિતલિયા

કોઈ ડૉલરને દેશબહાર જતાં રોકો

છેલ્લા કેટલાક સમયથી ફોરેન ઈન્વેસ્ટર્સ શૅરબજારમાં સતત નેટ વેચાણ કરી નાણાં ખેંચી રહ્યા છે. બીજી તરફ, ક્રૂડના અને આયાતી આઈટેમ્સના ઊંચા ભાવને કારણે પણ વિદેશી હૂંડિયામણ પર બોજ વધ્યો છે ત્યારે આ પડકારનો સામનો કરવા રિઝર્વ બૅન્કે તાજેતરમાં ચોક્કસ પગલાં રૂપે ફોરેન કરન્સી ડિપોઝિટ પર વ્યાજદરની મર્યાદા દૂર કરી છે, જેથી ડૉલર સ્વરૂપે વધુ ડિપોઝિટ ભારતમાં આવે અને ફોરેન કરન્સીની રિઝર્વ વધે. આને પગલે ભારતીય ડિપોઝિટ પર પણ વ્યાજદર વધવાની આશા ઊભી થઈ છે.

ડૉલર દેશમાં લાવવાના પ્રયાસ

રિઝર્વ બૅન્કે એફસીએનઆર (ફોરેન કરન્સી નૉન-રેસિડન્ટ ડિપોઝિટ) અને એનઆરઈ ડિપોઝિટ પરની વ્યાજમર્યાદા પાછી ખેંચીને બૅન્કોને ઊંચું વ્યાજ ઑફર કરવા મારફત વધુ ડિપોઝિટ આકર્ષવાની તક આપી છે. વિદેશી સંસ્થાઓ માટે ખાનગી કે સરકારી બૉન્ડ્સમાં રોકાણના નિયમો હળવા બનાવવામાં આવ્યા છે. દેશ માટે ફોરેન કરન્સીનું વિશેષ મહત્ત્વ હોવું સહજ છે. જો કે નિષ્ણાતોના મતે આટલા ફેરફારથી ખાસ ફરક પડશે નહીં. અલબત્ત, રિઝર્વ બૅન્ક હાલ ઉતાવળમાં નથી અને સંજોગને આધીન વધુ પગલાં લેશે.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size