Try GOLD - Free
જે જીત્યા છીએ એ ગુમાવી ન બેસીએ એ જો જો...
Chitralekha Gujarati
|May 26, 2025
પાકિસ્તાનમાં ઘર કરીને બેસેલાં આતંકી તત્ત્વો અને એને ઉઘાડેછોગ સમર્થન આપતા પાક લશ્કર સામેનું ભારતનું ‘ઑપરેશન સિંદૂર' નિર્ણાયક તબક્કે હતું ત્યારે જ અચાનક યુદ્ધબંધી જાહેર થઈ અને ભારતે એની કારવાઈ સ્થગિત કરવી પડી. પાકિસ્તાન સામે વધુ તો હવાઈ આક્રમણ પૂરતા સીમિત રહેલા આ જંગમાં ભારતે જે સરસાઈ મેળવી એ જાળવીને ભારતે હજી પાકિસ્તાનને પછાડવાનું છે.

क्षમા અને સંયમ એ વીરનાં આભૂષણ છે... એવું બોલવા અને સાંભળવામાં સારું લાગે, પરંતુ વ્યવહારમાં ઝટ એ કોઈ સ્વીકારતું નથી. આ જ કારણે પહલગામ હત્યાકાંડને પગલે ત્રણ દિવસ પાકિસ્તાનને ઠમઠોર્યા પછી અચાનક ભારતે એના પરના હવાઈ હુમલા સ્થગિત કરવાનું સ્વીકારી લીધું એટલે અનેક સવાલ ઊભા થાય એ સાહિજક હતું. છોગામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની યુદ્ધબંધીની ઘોષણા પણ ત્રીજા તરભેટેથી–અમેરિકા દ્વારા કરવામાં આવી એટલે તો ભારોભાર અસમંજસની સ્થિતિ ઊભી થઈઃ પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર હતો અને વધુ એક-બે દિવસમાં એનો ઘડોલાડવો કરવાનો મોકો હતો એ સમયે ભારતે હથિયાર હેઠાં કેમ મૂકી દીધાં? આની પાછળ આપણું ગણિત શું હતું? આને નૈતિક જીત ગણવી કે ગણતરીપૂર્વકની પીછેહઠ? લક્ષ્ય પાર પાડ્યાનો સંતોષ મેળવવો કે જીતેલી બાજી દુશ્મનને સોંપી દેવાની ભૂલ સમજવી?

૧૯૯૦ના દાયકામાં કશ્મીરના ખીણ પ્રદેશ (વૅલી)માંથી (હિંદુ-કશ્મીરી) પંડિતોને નામ પાડી
પાડીને ઉચાળા ભરવાની ફરજ પાડવામાં આવી એ પછી સંભવતઃ પહેલી વાર મજહબ વિશે પૂછતાછ કરીને પહલગામમાં પર્યટકોને વીણી વીણીને મારવામાં આવ્યા. ઉરી અને પુલવામા ટેરર ઍટેક પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી એટલે આ વખતે પણ ભારત એવું જ કંઈક કરશે એટલો અંદાજ તો પાકિસ્તાનને પણ હશે જ. એની ઈચ્છા પણ એવી જ હતી. થયું પણ એવું જ. જો કે પેદા થયું ત્યારથી આપણી સાથે બાધ બાધ કરતા પાકિસ્તાનને એ ધારણા નહીં હોય કે આપણે એનો એકદમ ઉતાવળિયો જવાબ નહીં આપીએ. એના બદલે છેક પંદર દહાડે ભારતે ઑપરેશન સિંદૂર આદર્યું અને એમાં પણ પાકિસ્તાનના માત્ર ને માત્ર આતંકી અડ્ડા પર જ ભારતે હુમલા કર્યા. આ એક પ્રકારની પરિપક્વતા પણ હતી, જેની અપેક્ષા કોઈ પાકિસ્તાન પાસે ન રાખે, પરંતુ ભારત જેવા જવાબદાર લોકશાહી રાષ્ટ્ર પાસે જરૂર રાખે.

This story is from the May 26, 2025 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size