Try GOLD - Free
પોલિટિકલ અસાઈલમઃ નીતિ અને રાજનીતિ
Chitralekha Gujarati
|September 02, 2024
બાંગ્લાદેશમાં લાંબી ઈનિંગ્સ રમ્યા બાદ શેખ હસીનાની સરકારનું આ મહિનાના આરંભમાં પતન થયું. અત્યારે એ ભારતમાં રાજકીય આશરો લઈ રહ્યાં છે. તિબેટિયનોના આધ્યાત્મિક વડા દલાઈ લામા અને સંગીતકાર નદીમ સૈફીથી લઈને દેશ-દુનિયાની કંઈકેટલી જાણીતી વ્યક્તિ પોતાનો દેશ છોડી જેના સહારે પરદેશમાં વસી જાય છે એ પોલિટિકલ અસાઈલમનો કાયદો શું છે?

થોડા સમય પહેલાં આવેલી રાજકુમાર હીરાણીની ડન્કી ફિલ્મમાં શાહરુખ ખાન-તાપસી પન્નૂ અને મિત્રો લંડનમાં ગેરકાયદે ઘૂસતાં પકડાય છે.
એમની પર કેસ ચાલવાનો હોય છે ત્યારે એક દેશી વકીલ (દેવેન ભોજાણી) એમને સલાહ આપે છેઃ ‘તમે નામદાર ન્યાયાધીશને ખોટું ખોટું એમ કહો કે ભારતમાં અમારી પર જુલમ થાય છે, ત્યાં રહેવા જેવું નથી... એટલે તમને આ દેશમાં આશ્રય મળી જશે. પછી અહીં કાયમ માટે કાયદેસર રહી શકશો.'
શાહરુખ જો કે એમ કરવાની ના પાડી દે છેઃ ‘ભારત પાછાં મોકલી દેવાં હોય તો મોકલો, પણ હું ભારતનું નામ બદનામ નહીં કરું.’
ફિલ્મ પરથી વાસ્તવિકતા પર આવીએ તો હમણાં ભડકે બળેલા બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ભારતમાં રાજકીય આશ્રય અથવા પોલિટિકલ અસાઈલમ મેળવે એવી વાત છે. છેલ્લા ઘણા મહિનાથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચાર ઓગસ્ટે શેખ હસીના ઢાકાથી એક માલવાહક વિમાનમાં ઊડીને દિલ્હી પહોંચ્યાં હતાં.

મોહમ્મદ હુસૈન ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વાટાઘાટ ચલાવી રહ્યા છે, કારણ કે હસીના પર મર્ડર, ટૉર્ચર અને સામૂહિક હત્યાના આરોપ છે, એ અંગે કેસ પણ ચાલી રહ્યા છે.
એમ તો ભારત આવતાં પહેલાં શેખ હસીનાએ યુનાઈટેડ કિંગ્ડમ પાસે રાજકીય આશ્રયની માગ કરી હતી, પણ યુકે સરકારે એમને નજીકના, ઝડપથી પહોંચી શકાય એવા દેશમાં જવાની સલાહ આપી આથી એ ગાઝિયાબાદના હિંડન ઍરબેઝ પર ઊતર્યાં હતાં. ૧૯૭૧માં સ્થાનિક રહેવાસીઓની સશસ્ત્ર ક્રાંતિને પગલે ઈસ્ટ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનેલા આ રાષ્ટ્રના સ્થાપક શેખ મુજીબ-ઉર-રહેમાન અને એમના પરિવારના સાત સભ્યોને બાંગ્લાદેશી સૈનિકોએ મારી નાખ્યા (ઓગસ્ટ, ૧૯૭૫) ત્યારે જર્મનીમાં પતિ અને બહેન સાથે રહેતાં શેખ હસીનાએ ઈન્દિરા ગાંધી પાસે મદદ માગી હતી. ઈન્દિરા ગાંધીએ એમને દિલ્હી તેડાવી લઈ રાજકીય આશ્રય આપ્યો હતો. ૧૯૮૧માં બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સુધરતાં શેખ હસીના પોતાના દેશ પાછાં ફર્યાં હતાં. હવે ભારત કે બીજા કોઈ દેશ હસીનાને રાજ્યાશ્રય આપે છે કે નહીં એ જોવાનું છે.
This story is from the September 02, 2024 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size