Try GOLD - Free
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
Chitralekha Gujarati
|July 29, 2024
અંધવિશ્વાસની નાસભાગ સામાન્ય માણસો એમની સામાજિક-પારિવારિક જરૂરત અને મજબૂરીના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જિંદગી ત્યજીને પ્રાયશ્ચિત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી હોતી. એમને રક્ષણ જોઈએ છે, એમને ‘પુણ્ય’ જોઈએ છે, એમને સ્વર્ગ જોઈએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનની કૃપા જોઈએ છે...

વિશ્વાસનો ચમત્કાર...
ઈતિહાસના સૌથી મહાન સંશોધક થોમસ આલ્વા એડિસન નાના હતા ત્યારે એક દિવસ સ્કૂલેથી ઘરે આવીને માતાને એક ચિઠ્ઠી આપી અને કહ્યું: ‘ટીચરે આ ચિઠ્ઠી માત્ર તને જ આપવા કહ્યું છે.’
પત્ર વાંચીને માતાની આંખો ભરાઈ આવી અને એણે ચિઠ્ઠી મોટેથી વાંચી સંભળાવીઃ ‘તારો દીકરો જિનિયસ છે. આ સ્કૂલ એના માટે નાની પડે છે અને એના માટે સારા ટીચર નથી. તું એને જાતે ભણાવજે.’
વર્ષો વીતી ગયાં. માતાનું અવસાન થઈ ગયું હતું. એડિસને અનેક સંશોધન કરીને દુનિયામાં નામ કમાયું હતું. એક દિવસ એ પરિવારની ચીજવસ્તુઓમાં ખાંખાંખોળા કરતા હતા એમાં ટેબલમાંથી ગડી વાળેલો કાગળ મળ્યો, એમાં લખ્યું હતુંઃ ‘તારો દીકરો મંદબુદ્ધિ છે. આ સ્કૂલ માટે એ યોગ્ય નથી. એને હવેથી ના મોકલીશ.’
એ દિવસે એડિસન ખૂબ રડ્યો અને રાતે ડાયરીમાં લખ્યું: ‘થોમસ આલ્વા એડિસન મંદબુદ્ધિ બાળક હતો, પણ માતાના વિશ્વાસથી સદીનો જિનિયસ સાબિત થયો!'
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આવેલા મુઘલ ગઢી નામના ગામમાં, બીજી જુલાઈના રોજ સૂરજપાલ સિંહ જાટવ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં મચેલી નાસભાગમાં ૧૨૩ લોકો ચગદાઈ મર્યા, એને તમે શું કહેશો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા?
બધા જ લોકો એક અવાજે કહેશે કે આ અંધશ્રદ્ધા હતી, એમ કંઈ એક બાબાની ચરણરજ લેવાથી થોડું ભલું થાય!
મજાની વાત એ છે કે જે લોકો નવી કાર સલામત રહે એવી શ્રદ્ધા સાથે એના ટાયર નીચે લીંબુ ફોડે છે અથવા નવા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે એવી આશામાં એની બારસાખે મરચું લટકાવે છે એ પણ એવું માને છે કે સત્સંગ કરીને જઈ રહેલા બાબા પાછળ એમની ચરણરજ કપાળે લગાવવા માટે દોડેલા લોકો અંધશ્રદ્ધાળુ હતા.
ભારતમાં આ ઘટના પહેલી નથી. ૧૯૫૪થી લઈને ૨૦૧૬ સુધી કોઈ ને કોઈ ધાર્મિક પ્રસંગે બનેલી નાસભાગની કુલ ૩૨ ઘટનામાં ૨૨૬૨ લોકોએ જીવ ગુમાવ્યા છે, એમાં ઘણી ઘટના તો મંદિરોમાં બની છે એટલે શ્રદ્ધા કોને કહેવી અને અંધશ્રદ્ધા કોને કહેવી એ મુશ્કેલ થઈ જાય છે.
This story is from the July 29, 2024 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size