Try GOLD - Free
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
Chitralekha Gujarati
|June 10, 2024
છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.

હિંદી ભાષામાં એક કહેવત પ્રચલિત છે, જબ ગીદડ કી મૌત આતી હૈ તો વો શહર કી ઔર ભાગતા હૈ... આર્થિક જગતમાં આ કહેવતને જરા જુદા રૂપે જોઈએ તો વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનું અને જોખમની સંભાવનાનું વાતાવરણ વધતું જાય ત્યારે તેમ જ ગ્લોબલ કરન્સી પરનો ભરોસો ઘટવા લાગે ત્યારે વિવિધ દેશોની સેન્ટ્રલ બૅન્ક સોનું ખરીદવા દોટ મૂકે છે. છેલ્લા અમુક મહિનાઓથી સોનાના વધતા ભાવ કંઈક આવાં જ કારણ ધરાવે છે.
વાત માત્ર સોનાની નથી, બલકે આ મહિનાઓમાં ચાંદીમાં પણ ચળકાટ સતત વધી રહ્યો છે, સંભવતઃ સોના કરતાં પણ વધારે ચાંદી ચમકી રહી છે. મજાની વાત એ છે કે ચાંદીમાં ભાવ કિલોદીઠ એક લાખ રૂપિયાએ પહોંચી ગયા, જ્યારે સોનાના દસ ગ્રામના ભાવ ૭૫,૦૦૦ ઉપર જઈ આવ્યા. હજી પણ આ બન્નેમાં ભાવ વધવાના એંધાણ છે.
મુંબઈસ્થિત માર્કેટ એક્સ્પર્ટ કમલેશ કોટક ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છે કે સોના-ચાંદીના ભાવ વધવાનાં કારણો છે ઊંચો ફુગાવો, જિયોપોલિટિકલ ટેન્શન, ઈન્ટરેસ્ટ રેટ કટની અધ્ધરતાલ સ્થિતિ અને મેક્રો-ઈકોનોમિક અનિશ્ચિતતા. ચીન, રશિયા સહિતની મોટા ભાગની સેન્ટ્રલ બૅન્કો સોનાની ખરીદી વધારી રહી છે. ડૉલર પરનો ભરોસો ઘટવા લાગતાં આ બૅન્કો સોનાની રિઝર્વ વધારી રહી છે. આ સેન્ટ્રલ બૅન્કો ડૉલરનું રિઝર્વ ઘટાડીને ગોલ્ડની વધારી રહી છે. અમેરિકાનું વધતું જતું ડેટ (કરજ) સુદ્ધાં આમાં કારણ બન્યું છે. ભારતીય રિઝર્વ બૅન્ક પણ સોનાની રિઝર્વ વધારી રહી છે.
This story is from the June 10, 2024 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size