Try GOLD - Free
મુછાળી માની હંમેશાં ઋણી રહેશે બાળકેળવણી...
Chitralekha Gujarati
|December 25, 2023
‘બાલ દેવો ભવઃ’ એમનો સિદ્ધાંત હતો, તો રમકડાં, રમત, વાર્તા, અભિનય હતાં એમનાં કેળવણીનાં માધ્યમ. ૧૮૦ પુસ્તકોના લેખક, અનેક કેળવણીકારોના ગુરુ અને નવી શિક્ષણનીતિમાં પણ જેમના પ્રયોગોનો સ્વીકાર થયો છે એ ગિજુભાઈ બધેકા આજેય જીવંત છે અનેક સંસ્થા સ્વરૂપે.

ભા૨ વગરનું ભણતર, દફતર વગરનો દિવસ, પરીક્ષા નહીં... પણ મૂલ્યાંકન, બાળકને ગમે તેવી નિશાળ... આ અને આવી વિવિધ કલ્પના અને એના પર અમલમાં આવેલી અમુક યોજના ચર્ચામાં છે અને સરકાર પણ એના અમલ માટે પ્રયત્નશીલ છે. સરકારી રાહે આ કામ કદાચ નવું છે, પરંતુ ગુજરાતના એક ખૂણે ૧૦૩ વર્ષ પહેલાં આ કેળવણી પદ્ધતિનાં બીજ રોપાયાં હતાં. હા, નવી શિક્ષણ પદ્ધતિની વાત હોય કે રાષ્ટ્રીય શિક્ષણનીતિની બાબત, એનાં મૂળ ભાવનગરના એક બાલમંદિરમાં રહેલાં છે. એનું નામઃ દક્ષિણામૂર્તિ બાલમંદિર.
૧૯૨૦માં શરૂ થયેલું આ બાલમંદિર ખરા અર્થમાં બાળકનું ઘડતર કરતી બાલશાળા હતી. એ સમયનાં બાળમાનસને સમજી કેળવણીનું કામ કરનારી આ પ્રથમ જ નહીં, પરંતુ શ્રેષ્ઠ સંસ્થા હતી. એ કેળવણીનો પાયો નાખ્યો ગિજુભાઈ બધેકાએ. આખું ગુજરાત અને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ જેમને મુછાળી મા તરીકે ઓળખે છે એ ગિજુભાઈ.
ગિજુભાઈના પિતા વકીલ, માતા ગૃહિણી અને મામા સ્ટેશન માસ્ટર. વલભીપુર-વળામાં રહેતા ભગવાનજીભાઈ બધેકા અને કાશીબહેનને ત્યાં ૧૫ નવેમ્બર, ૧૮૮૫માં જન્મેલ ગિરજો ઉર્ફે ગિરજાશંકર પણ શરૂઆતમાં પિતાની જેમ વકીલાત કરતા હતા, પરંતુ કુદરત એમને ન્યાયમંદિરને બદલે વિદ્યામંદિર તરફ લઈ જવા માગતી હતી.
ગિજુભાઈનાં દોહિત્રી અને છેલ્લાં ૩૦ વર્ષથી શિક્ષણમાં વિવિધ કામ કરી રહેલાં અમદાવાદસ્થિત મમતાબહેન પંડ્યા ચિત્રલેખાને કહે છે: ‘મારા નાનાને હું રૂબરૂ તો મળી શકી નથી, પરંતુ એમનાં બધાં જ પુસ્તકો વાંચ્યાં છે. ટેકરીવાળા બાલમંદિરની તળેટીમાં આવેલા એમના ઘરે વૅકેશનમાં જઈને ખૂબ મજા કરી છે. વાર્તાઓ દ્વારા, રમતો દ્વારા અને બાળક સાથે એની જેવા જ બનીને કેળવણીનું કામ કેવી રીતે થઈ શકે એ પ્રયોગો નાના એટલે કે ગિજુભાઈ ઘરમાં પણ કરતા અને એ વાતો મારી માતા કહે ત્યારે થાય કે કેળવણીનું આવું અદ્ભુત કામ આવા ભેખધારી જ કરી શકે!’
નાનાના પગલે ચાલવા પ્રયત્નશીલ મમતાબહેને સો જેટલાં પુસ્તકો લખ્યાં છે અને ગિજુભાઈ બધેકા વિશે વેબસાઈટ ડેવલપ કરી છે. આ વેબસાઈટ પર ગિજુભાઈ બધેકાની જીવનયાત્રા, પરિવાર, એમની કારકિર્દી સહિત તમામ માહિતી ઉપલબ્ધ છે.
This story is from the December 25, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size