Try GOLD - Free
કાળકોટડીમાં હીરા ઘસી જીવન ચમકાવે છે આ ગુનેગારો..
Chitralekha Gujarati
|June 19, 2023
કારાગૃહ આમ તો એવી જગા છે, જ્યાં કશુંક નવું કરવું, સુધારણા કે પરિણામલક્ષી પરિવર્તન આણવાની સંભાવના ઓછી જોવાય, પરંતુ સરકારનો અડગ નિશ્ચય અને ઉચ્ચ અધિકારીની તૈયારી હોય તો બંદીવાન જેલમાં રહીને પરિવારનાં, પોતાનાં જીવન પાસાદાર બનાવી શકે.

સાહેબ એ જેલમાં જશે તો પરિવારનું શું? એના સિવાય ઘરમાં કમાનારું કોઈ નથી. અમારી હાલત કફોડી થઈ જશે. એમ કરો, અમને પણ જેલમાં લઈ જાઓ..
ચારેક વર્ષ પહેલાં સુરતમાં એક પરિવારના મોભીને અજાણતાં થયેલા ગુનામાં જેલની સજા થઈ ત્યારે એની પત્નીએ આવી કાકલૂદી પોલીસ સમક્ષ કરી હતી. એ વખતે સુરતની લાજપોર જેલમાં વિવિધ યોજના દ્વારા કેદીઓના પરિવાર માટે આવકની સગવડ કરવામાં આવી. વિશેષ તો સુરત ડાયમંડ નગરી ગણાતી હોવાથી જેલમાં હીરાની ઘંટીઓ મૂકવામાં આવી. પરિણામે આજે ઘણા કેદી હીરા ઘસીને, રત્નકલાકાર બનીને નિયમિત આવક મેળવે છે, પરિવારને મદદરૂપ થાય છે.
લાજપોર જેલના નાયબ અધીક્ષક-ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પી.જી. નરવાડે ચિત્રલેખાને કહે છેઃ ‘સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં હીરા ઘસતાં આવડતું હોય એવા ઘણા કેદી હતા. એ લોકો એમના હુન્નરનો ઉપયોગ કરીને રોજગારી પ્રાપ્ત કરે એ હેતુથી ૨૦૧૭ની ૧૫ ઓગસ્ટથી લાજપોર જેલમાં ડાયમંડ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું. આ પ્રકારનો પ્રયોગ દેશમાં એ વખતે પ્રથમ વાર જ કરવામાં આવ્યો હતો. આ માટે સુરતની કોહિનૂર ડાયમંડ કંપની સાથે કરાર કરવામાં આવ્યા. આ સેન્ટરમાં કેદીઓ હીરા ઘસીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ તો થઈ જ રહ્યા છે, બલકે અહીં તાલીમ લેનારા કેદી બહાર જઈને રત્નકલાકાર તરીકે નોકરી-કામ કરી પોતાનાં અને પરિવારનાં જીવન સુધારી શકે છે.’
પી.જી. નરવાડે વધુમાં જણાવે છે: ‘શરૂઆત ચાર ઘંટીથી થયેલી. આજે જેલમાં ત્રેવીસ ઘટી છે અને કાચા કેદી તથા જેમને સજા થઈ હોય એવા, એમ બધું મળીને ૯૦ જેટલા બંદીવાનો હીરા પર તળિયાં, મથાળાં અને પેલ મારવાનું કામ કરી રહ્યા છે. ગયા ફેબ્રુઆરી-માર્ચ એમ બે મહિનામાં આ કેદીઓ દ્વારા ૩.૬૪ લાખ રૂપિયાની કુલ કમાણી થઈ. આવડત પ્રમાણે આ રત્નકલાકારો મહિને ચારથી ૧૮ હજાર રૂપિયા સુધીનાં કામ કરે છે.’
જેલ વિભાાના વડા કે.એલ.એન. રાવ: કેદી પાસે આવડત હશે તો એ આડે રસ્તે નહીં જાય.
This story is from the June 19, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size