Try GOLD - Free
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati
|April 03, 2023
હજારો વર્ષ પછી પણ મહાભારત ટક્યું છે, વીસરાયું નથી એનું એક મહત્ત્વનું કારણ એ છે કે સમગ્ર ભારતીય સમાજમાં એની વાતો સતત ચર્ચાતી રહી છે.

વેદ વ્યાસ બોલ્યા અને ગણેશજીએ લખ્યું. જે ગ્રંથ બન્યો એનું નામ હતુંઃ જય. જય કોનો? જય ધર્મનો. વાત કોની? વાત ભારત-વંશની. ભારત-વંશની આ જય-ગાથા નારદ સુધી પહોંચી. નારદે દેવતાઓને એનું રસપાન કરાવ્યું. અસિત-દેવલ નામના બે મુનિઓએ પિતૃઓને આ કથા કહી. વેદ વ્યાસના પુત્ર શુકદેવજીએ પિતા પાસેથી સાંભળેલી જય-કથા ગંધર્વો, યક્ષો તથા રાક્ષસોને સંભળાવી. જો કે આમાંનું એકેય વર્ઝન બહોળા માનવસમુદાય સુધી ન પહોંચ્યું. તો પછી આપણા સુધી મહાભારત કઈ રીતે અને કોણે પહોંચાડ્યું?
આનો જવાબ થોડો વાંકોચૂકો છે. વેદ વ્યાસે શિષ્ય વૈશંપાયનને મૂળ વર્ઝન શીખવ્યું. વૈશંપાયને એ પછી અર્જુનના પ્રપૌત્ર જન્મેજય સમક્ષ એની રજૂઆત કરી. એ વખતે ઉગ્રશ્રવા નામના સૌતિ (સૂતપુત્ર, કથાકાર) ત્યાં હાજર હતા અને એ સૌતિએ વૈશંપાયન પાસેથી સાંભળેલું વર્ઝન બાદમાં નૈમિષારણ્યના ઋષિઓને સંભળાવ્યું. આપણા સુધી પહોંચેલું વર્ઝન આ સૌતિવાળું ત્રીજું વર્ઝન છે. વેદ વ્યાસનં પહેલું વર્ઝન જય, વૈશંપાયનનું બીજું વર્ઝન ભારત અને સૌતિએ ઋષિઓને સંભળાવેલું ત્રીજું વર્ઝન એ મહાભારત. આ થયો ક્રમ. સૌતિએ કહેલું મહાભારત પછી તો એટલું ફેલાયું, ટક્યું અને જામ્યું કે આજે હજારો વર્ષ પછી એકવીસમી સદીમાં પણ ભારતમાં એ મહાભારત પ્રચલિત છે.
બાકી, મહાભારત નામનો વિષય શાળામાં ભણાવાતો નથી. રામાયણ અને ભાગવતની માફક મહાભારતની કથા નથી બેસતી, છતાં મહાભારત વર્ડ ઑફ માઉથથી એટલે કે લોકોમાં અંદરોઅંદર થતી વાતોના જોરે ટકી શક્યું છે. કોઈ પણ સર્જન, પછી ચાહે એ ઓટીટીની કોઈ નાનકડી સિરીઝ હોય કે મહાભારત જેવું મહાકાવ્ય, એને સફળ બનાવે છે વર્ડ ઑફ માઉથ. મહાભારતની નાની-મોટી વાતો જાણે ભારતની હવામાં સતત ગુંજતી રહી છે. એ ગુંજન મહાભારત વિશેની આપણી જાણકારીનો મહત્ત્વનો આધાર છે.
અચ્છા, તમે મહાભારત વિશે કેટલું જાણો છો? તમારી જાણકારીનો એક કાચો અંદાજ નીચેના લખાણ પરથી તમે બાંધી શકશો.
વાત એમ છે કે મહાભારતની કથાના આરંભે સૌતિએ ધૃતરાષ્ટ્ર-સંજય વચ્ચેનો એક લાંબો સંવાદ એવો ટાંક્યો છે, જેના આધારે ભાવક પોતાના મહાભારત-જ્ઞાનની ચકાસણી કરી શકે.
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size