Try GOLD - Free
ગુજરાતમાં ઘોરાડ પક્ષી અભયારણ્ય હવે માત્ર કાગળ પર જ રહેશે?
Chitralekha Gujarati
|December 26, 2022
એક સમયે ગુજરાતના અનેક વિસ્તારોમાં આકર્ષક ઘોરાડ પક્ષી આગવી છટા સાથે ટહેલતાં જોવા મળતાં, પરંતુ કાળક્રમે એ કચ્છ પૂરતાં સીમિત થઈ ગયાં. હવે તો કચ્છમાંય ચાર જ ઘોરાડ બચ્યાં છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાતમાં ઘોરાડ સહિત કેટલાંક દુર્લભ પક્ષીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે, એ પ્રકૃતિપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

લાંબી સુરાહીદાર આકર્ષક ગરદન. તીક્ષ્ણ ચાંચ, ચૉકલેટી રંગની પાંખો. નાજુક-નમણું, પણ ઊડી શકે એવાં વિહંગોમાં સૌથી વજનદાર એવું પક્ષી, જેના અંગ્રેજી નામમાં જ શાનથી ઈન્ડિયા શોભે છે. એ છે ઘોરાડ અથવા ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ. આશરે ૧૪-૧૫ કિલો વજન ધરાવતાં અને હરકોઈનું મન મોહી લેતાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ) એક સમયે રાષ્ટ્રીય પક્ષી બનવાની રેસમાં હતાં, પરંતુ નૅશનલ બર્ડનું પીંછું ખોસવામાં આવ્યું મોરની કલગીમાં. અલબત્ત, રાજસ્થાન સરકારે ૧૯૮૧માં સ્ટેટ બર્ડનો દરજ્જો ઘોરાડને આપ્યો.
એક સમયે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘોરાડ મોજથી ટહેલતાં જોવા મળતાં, પરંતુ તંત્રની ઉદાસીનતાથી ધીરે ધીરે એની સંખ્યા ઘટતી ગઈ. હવે માત્ર રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં જ એ જોવા મળે છે.
૨૦૧૮માં ભારતમાં ૧૫૦ જેટલાં ઘોરાડ હતાં. આ સંખ્યા હવે ઘટીને ૧૦૦ની આસપાસ આવી ગઈ છે. ઈન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નૅચર (આઈયુસીએન) નામની સંસ્થાએ ઘોરાડને રેડ લિસ્ટમાં મૂક્યું છે. મતલબ, આ પક્ષી હવે લુપ્ત થવાને આરે છે.
હવે એકસાથે આટલાં ઘોરાડ પક્ષી ફક્ત ફોટોમાં જ જોવા મળશે?
This story is from the December 26, 2022 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size