Try GOLD - Free
બર્ફાની બાબાનાં દર્શનમાં દર વર્ષે વિઘ્ન શા માટે?
Chitralekha Gujarati
|July 25, 2022
અમરનાથયાત્રા દરેક હિંદુની ઘણી મોટી ઈચ્છા હોય. શરીર સ્વસ્થ હોય, થોડી હાલાકી સહન કરવાની તૈયારી હોય ત્યારે યાત્રા થઈ જાય તો સારું એવું ભાવિકો ઈચ્છે અને દર વર્ષે સેંકડો લોકો હિમાલયની વાદીઓમાં જમ્મુ-કશ્મીરના પહેલગામ પાસે આવેલી અમરનાથ ગુફામાં સર્જાતા બરફના શિવલિંગનાં દર્શન માટે ઊમળકાભેર જાય છે, પરંતુ ક્યારેક આતંકવાદીઓ યાત્રાળુઓનો રસ્તો રોકે છે તો ક્યારેક કુદરત કહેર વરસાવે છે. શા માટે આવા અવરોધ?

વાદળ ફાટવા સાથે આસપાસના પર્વત પરથી વહી આવેલું પાણી અમરનાથ ગુફા નજીકથી અનેક યાત્રીઓને ખેંચી ગયું. કલાકોની જહેમત પછી અમુક મૃતદેહ હાથ લાગ્યા.
ઈસુ કૅલેન્ડરના જૂન-જુલાઈ અને વિક્રમ સંવતનો અષાઢ મહિનો શરૂ થાય ત્યારથી આવા સમાચાર વર્તમાનપત્રો કે ચૅનલમાં દેખાય. બર્ફાની બાબા તરીકે પ્રખ્યાત હિમાલયની શ્વેત કંદરાની વચ્ચે આવેલા અમરનાથ મહાદેવની મુશ્કેલ છતાં માહાત્મ્યભરી યાત્રા દર વર્ષે હોય. આતંકીઓ તો ત્રાટકે કે નહીં, પરંતુ હમણાં બે વર્ષ કોરોના ત્રાટક્યો ને યાત્રા બંધ રહી. આ વર્ષે ભાવિકો ઉત્સાહથી પહોંચ્યા બાબાના શરણે ત્યાં જ કુદરત વીફરી. કેદારનાથની વિભીષિકા હજી લોકોને વીસરાઈ નથી ત્યાં આ વર્ષે અમરનાથયાત્રાના રૂટ પર વાદળ ફાટ્યું અને જાનહાનિ સર્જાઈ એ દશ્યો તો આપણે ટીવી અને સોશિયલ મિડિયા પર જોયાં. ભલે કુદરતી આપદા પર આમ તો કોઈનું નિયંત્રણ હોતું નથી, છતાં આપણને એ સવાલ પણ થયા વગર ન રહે કે આ યાત્રામાં સતત વિઘ્ન કેમ આવ્યા કરે છે?
આવ્યા one આ વર્ષે પણ હજારો લોકોએ અમરનાથની યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ગયા શુક્રવારે (૮ જુલાઈએ) અમરનાથમાં આભ ફાટ્યું અને પાણીના પ્રવાહમાં યાત્રાળુઓની અનેક છાવણી તણાઈ ગઈ. આ અતિવૃષ્ટિમાં ૧૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ૪૦થી વધુ લોકોનો હજી પત્તો લાગ્યો નથી. અત્યાર સુધીમાં સૈન્ય દ્વારા અમરનાથથી ૧૬,૦૦૦થી વધારે લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
This story is from the July 25, 2022 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size