કાયદો ઘડનારા નિષ્ણાતોને ઘણી વાર અંદાજ નહીં આવતો હોય કે એ કાયદાની વિવિધ જોગવાઈનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવશે અને કઈ રીતે તોડી-મરોડીને એનો દુરુપયોગ કરવામાં આવશે.
ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણા સંસદસભ્યો તથા વિધાનસભ્યો ધારાસભામાં કોઈ પ્રકારનાં દબાણ કે પક્ષપાત વગર નિર્ણય લઈ શકે એ માટે એમને અનેક વિશેષાધિકાર (પ્રિવિલેજ) આપવામાં આવ્યા છે અને એ જ રીતે સામાન્ય માણસોને સામાન્ય સંજોગોમાં લાગુ પડતા કેટલાક કાનૂન । સામે કવચ પણ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ કે આ કવચ (ઈમ્યુનિટી) એમને અમુક કાયદાથી રક્ષણ આપે છે. સામાન્ય માણસ એવા કાયદાનું ઉલ્લંઘન કરે તો એને સજા થાય, પરંતુ કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય એનું ઉલ્લંઘન કરે તો ઈમ્યુનિટી રૂપી ઢાલને કારણે એને સજા ન આપી શકાય. વળી, આવા કોઈ પણ ચૂંટાયેલા સભ્ય સામે કાનૂની પગલાં લેવાં હોય તો એ ગૃહના વડા (જેમ કે લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષ)ની મંજૂરી લેવી પડે. આ પણ એમનો વિશેષાધિકાર. બંધારણમાં આ જનપ્રતિનિધિઓની સત્તા અને એમને મળેલા વિશેષાધિકાર માટે બે અલાયદાં પરિશિષ્ટ ફાળવવામાં આવ્યાં છે.
સંસદસભ્યો અને વિધાનસભ્યોને મળતા આ અને આવા તમામ વિશેષાધિકારોનું બરાબર પાલન થાય છે કે નહીં એ જોતાં રહેવા પાછી આપણાં દરેક ધારાગૃહમાં પ્રિવિલેજ કમિટી પણ હોય. સંસદસભ્યોને અને જુદાં જુદાં રાજ્યના વિધાનસભ્યોને પગાર ઉપરાંત પાટનગરમાં ઘર, ફોન, સ્ટેશનરી, ગૅસ કનેક્શન, નોકર-ચાકરની સવલત અને રાહતના દરે ભોજન જેવી સવલત મળે છે એ વિશે ઘણાને ખબર હશે, પણ આપણા આ જનપ્રતિનિધિઓ વિશેષાધિકારોના નામે કેટલી છૂટછાટ મેળવે છે એની બહુ લોકોને જાણ નહીં હોય.
Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 18, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.