બોલો, પ્રેમરોગ ચેપી કે વારસાગત હોઈ શકે?
આમ તો પ્રેમ કોઈ બીમારી જ નથી. એ તો લાગણીની કૂણી કૂણી અને ઘણી વાર અવ્યક્ત રહી જતી અનુભૂતિ છે. માનવામાં ના આવતું હોય તો કોઈ પણ પ્રેમીપાત્રને પૂછી જો જો. સામે કોઈ એક વ્યક્તિ એવી મળી જાય, જેને જોઈને હૃદયના તાર ઝણઝણી ઊઠે અથવા તો એક ગીતની જેમ દિલમાં ઘંટડી વાગવા લાગે એ પ્રેમ.
આવી લાગણીને ચેપી વ્યાધિ કઈ રીતે કહી શકાય?
જો કે અમદાવાદના એક પરિવારને મળો તો ખરેખર માનવું જ પડે કે હા, પ્રેમનો રોગ વારસાગત છે, એ પેઢી-દર પેઢી ઊતરી આવે છે.
અમદાવાદમાં રહેતા અગ્રવાલપરિવારમાં પ્રેમલગ્ન જાણે એક પરંપરા બની ગયાં છે. આ કુટુંબમાં ત્રણ પેઢીથી બધાંએ પ્રેમલગ્ન જ કર્યાં છે. કુટુંબના મોભી રાજ કિશોર અગ્રવાલ કે એમનાં પત્ની લીલાવતી અત્યારે હયાત નથી, પણ વર્ષો અગાઉ એ બન્નેએ પ્રેમલગ્ન કર્યાં હતાં. એ સમયે કોઈ પોતાની પસંદગીનાં લગ્ન કરવાનું તો દૂર, પણ પોતાનાં લગ્ન વિશે વાત કરતાં પણ ખચકાટ અનુભવતા. જો કે પોતાના નિર્ણય પર કાયમ રહી રાજ કિશોરભાઈ અને લીલાવતીબહેને લગ્ન કર્યાં હતાં.
એ પછી એમના ત્રણેત્રણ દીકરાએ પણ પ્રેમલગ્ન કર્યાં, માતા-પિતાના પગલે! આ ક્રમ અહીં અટકતો નથી. અગ્રવાલપરિવારની ત્રીજી પેઢી એટલે કે સૌથી મોટા પુત્રની દીકરીએ પણ પ્રેમલગ્ન જ કર્યાં. એટલું જ નહીં, ઘરની એક માત્ર દીકરીની દીકરીએ પણ આ પરંપરા યથાવત્ રાખી દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા!
પ્રેમ શોધવા લાંબા શા માટે થવું?
લીલાવતીબહેન અને રાજ કિશોર અગ્રવાલના સૌથી મોટા દીકરા સુભાષભાઈએ તો પ્રેમીપાત્ર શોધવા લાંબું પણ થવું પડ્યું નહોતું. જી હા, જેને જોઈને એમના દિલમાં ગીતના સૂર ઊમટી પડ્યા હતા એ યુવતી શીલા એમના પડોશમાં જ રહેતી હતી.
એલઆઈસી (LIC)નું કામ કરતા સુભાષભાઈ ચિત્રલેખાને કહે છેઃ
Diese Geschichte stammt aus der February 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 19, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.