ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, મનાલી, શિમલા, મસુરી... આ બધાં ભારતનાં એ ગિરિમથકોનાં નામ છે જ્યાં દર વર્ષે સેંકડો સહેલાણીઓ બરફવર્ષાનો આનંદ ઉઠાવવા જાય છે. દર વર્ષે આ હિલસ્ટેશન્સ પર નવેમ્બર-ડિસેમ્બરથી જ બરફ પડવાની શરૂઆત થઈ જતી હોય છે, પણ આ વર્ષના શિયાળામાં અહીં જાણે બરફનો દુકાળ પડ્યો. કશ્મીરના ગુલમર્ગમાં હજી હમણાં થોડા દિવસ અગાઉ એટલે કે દર વર્ષના નિર્ધારિત સમય કરતાં બે મહિના મોડો બરફ પડવાનું શરૂ થયું છે. હિમવર્ષા થવી એ કુદરતી પ્રક્રિયા છે અને દર વર્ષે એ પોતાના સમય અનુસાર થવી જોઈએ, પણ આ રીતે સાવ બરફ વગરનો શિયાળો વીતે એ તો ચિંતાનો વિષય છે ઉપરાંત આ ઘટનાને કારણે પ્રવાસીઓમાં પણ કુદરત દ્વારા છેતરાયાની લાગણી જોવા મળી છે.
પ્રાકૃતિક રીતે શિયાળામાં ઘણી જગ્યાએ વરસાદ થતો હોય છે અને અતિશયઠંડી હોવાને કારણે વરસાદનાં ટીપાં ધરતી સુધી પહોંચતાં સુધીમાં બરફના કણમાં પરિવર્તિત થઈ જાય છે. પરિણામે આપણે એને સ્નો-ફૉલ (બરફવર્ષા) તરીકે ઓળખીએ છીએ. યુરોપ, અમેરિકા અને એશિયામાં પણ અનેક સ્થળ આ પ્રકારની બરફવર્ષા માટે પ્રખ્યાત છે અને હજારો પર્યટકોને આકર્ષે છે.
ભારતમાં પ્રવાસીઓનાં ઝુંડનાં ઝુંડ સ્નો-ફૉલનો આનંદ ઉઠાવવા કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ધામા નાખે છે, પણ આ વર્ષે બરફમાં આળોટવાની, બરફના ગોળા બનાવી એકબીજાના માથે ફેંકવાની ઘણા લોકોની ઈચ્છા મનમાં જ રહી ગઈ. પ્રકૃતિનું આ નવું અને દેખીતી રીતે થોડું અજાણ્યું પાસું જોવા મળ્યું એની પાછળ ક્લાઈમેટ ચેન્જ એટલે કે ઋતુપલટાની સમસ્યા જવાબદાર છે.
એ વાત જાણીતી છે કે ૨૦૨૩નું વર્ષ પૃથ્વી પરનું સૌથી ગરમ વર્ષ હતું.એ વર્ષે પડેલી કાળઝાળ ગરમીના લીધે પ્રકૃતિના ચક્રમાં ઘણા ફેરબદલ થયા. ભારતમાં બરફવર્ષાનો દુકાળ પણ એમાંથી એક છે. આમ તો કશ્મીરમાં બરફવર્ષા થવાનું એક મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે. દર વર્ષે ભૂમધ્ય સમુદ્ર પર દબાણ પેદા થવાને લીધે હવાના વંટોળ સર્જાય છે. આ વંટોળ ત્યાંથી હિમાલય સુધી આવે છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં હિમાલયનાં ગગનચુંબી શિખરોમાં અથડાઈને બરફવર્ષા નિર્માણ કરે છે.
Diese Geschichte stammt aus der February 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 12, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.