વાત નવસારી નગરીની છે, જ્યાં ગયા અઠવાડિયે મેઘરાજાએ એમનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અહીંની એક શાળામાં ૧૨મા ધોરણમાં ભણતી કન્યા રિસેસ બાદ પોતાના ક્લાસમાં જવા દાદર ચડી રહી હતી કે અચાનક એ પરસેવાથી નીતરવા લાગી, શ્વાસ લેવામાં એને તકલીફ થવા લાગી. એણે રૅલિંગ પકડવાનો પ્રયાસ કર્યો, એની સખી અને એક ટીચરે એને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, પણ એ દાદર પર જ ફસડાઈ ગઈ. સ્કૂલ-સ્ટાફે તરત એને નજીકની હૉસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી, જ્યાં ડૉક્ટરે એને તપાસી મૃત જાહેર કરી. મૃત્યુનું કારણઃ કાર્ડિયાક અરેસ્ટ.
નવસારી બાદ હવે રાજકોટનો આ કિસ્સો જુઓઃ શહેરની સિવિલ હૉસ્પિટલમાં અક્ષયભાઈ નળિયાપરા પાર્કિંગ વિભાગમાં સિક્યોરિટી સંભાળે છે. ૧૭ જુલાઈની સવારે ૧૧ વાગ્યાની આસપાસ એમનો મોબાઈલ રણક્યો. ફોન એમના પુત્ર મુદિતની સ્કૂલમાંથી હતોઃ મુદિતની તબિયત બગડી છે, સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા છે. અક્ષયભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે ઍમ્બ્યુલન્સમાંથી મુદિતને બેભાનાવસ્થામાં બહાર લાવવામાં આવી રહ્યો હતો. કમનસીબે ઍડ્મિટ કરતાંવેંત ૧૪ વર્ષના મુદિતને તબીબે મૃત જાહેર કર્યો. કારણ?: કાર્ડિયાક અરેસ્ટ.
આ ઘટનાના આઠ દિવસ પછી પણ મુદિતનો પરિવાર એને આ ઉંમરે હાર્ટ અટેક આવે એ માનવા તૈયાર નથી.
રાજકોટમાં જ જુલાઈ મહિનાના ૧૫ દિવસના ગાળામાં બે કિશોરનાં હાર્ટ અટેકથી મૃત્યુ થયાં. મુદિતનો જીવનદીપ બુઝાયો એના થોડા જ દિવસ પહેલાં (૩ જુલાઈએ) ગોંડલ પાસે આવેલા રિબડાની બોર્ડિંગ સ્કૂલમાં ૧૦મા ધોરણમાં ભણતો દેવાંશ ભાયાણી ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે સહપાઠીઓની મદદથી સ્ટેજ પર પોડિયમ ગોઠવી રહ્યો હતો ત્યારે સ્ટેજ પર ઢળી પડ્યો હતો. હૉસ્પિટલ લઈ જવાતાં એનું મૃત્યુ થયું.
નાનપણથી મોબાઈલ ફોનની આદત અને ફાસ્ટ ફૂડનું વળગણ.. પહેલી નજરે કદાચ કોઈ સંબંધ ન લાગે, પણ અંતે તો બાળકનાં દિલ અને દિમાગ પર આ બધું અસર કરે છે.
Diese Geschichte stammt aus der August 07, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 07, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક્ઝિટ પોલનું પોલંપોલ...
ચૂંટણીનાં પરિણામની પહેલાં ટીઆરપી મેળવવાનું હાથવગું સાધન બની જનારા એક્ઝિટ પોલ અર્થાત્ ઈલેક્શન રિઝલ્ટની અટકળો આ વખતે સાવ જ ફારસ બની રહી. એક્ઝિટ પોલનું શાસ્ત્ર ક્યારેક અતિ સચોટ તો ક્યારેક સાવ નિષ્ફળ કેમ રહે છે?
બાળકોને શક્તિ-સ્ફૂર્તિ બક્ષવાના આ છે વિકલ્પ...
ઊછળવા-કૂદવા-રમવાની ઉંમરે જરૂર આપો પ્રોટીનસભર ખોરાક.
કોણ છે કરાચીની આ વડા-પાંઉ ગર્લ?
સોશિયલ મિડિયામાં અત્યારે એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં પાકિસ્તાનની ગલીમાં સ્વાદપ્રેમી લોકો હિંદુસ્તાની ફડની લિજ્જત માણતાં દેખાય છે. ચાલો માણીએ, કરાચીવાસીઓની જીભે ઈન્ડિયન સ્ટ્રીટ ફડનો સ્વાદ વળગાડનારી મૂળ મોરબીની યુવતી સાથે એની સ્વાદસફર.
વહેલ શાર્ક માટે સૌરાષ્ટ્રનો દરિયો બન્યો છે પિયર
ખારાં પાણીમાં મીઠી વીરડી આઠ જૂન એટલે ‘વર્લ્ડ ઑશન ડે.’ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે જુદા જુદા સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે, એમાં ગુજરાત પણ એક ટોચનું રાજ્ય બન્યું છે. લુપ્ત થઈ રહેલી વહેલ શાર્ક માછલીને બચાવવા સૌરાષ્ટ્રના કિનારે ઊડીને આંખે વળગે એવું કાર્ય લોકભાગીદારીથી થઈ રહ્યું છે. મોરારિબાપુની સંવેદનાસભર અપીલ સાથે બે દાયકા પૂર્વે શરૂ થયેલી ઝુંબેશનાં હૈયું હરખાય એવાં પરિણામ સામે આવ્યાં છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૯૫૦થી વધુ વહેલ શાર્કને દરિયામાં મુક્ત કરવામાં આવી છે. દરિયાઈ જીવ બચાવવાનું આવું ઉમદા કાર્ય દુનિયાના કોઈ ખૂણે થયું નથી.
આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...
અઢારમી લોકસભા ચૂંટણી યાદ રહેશે જે રીતે એ લડાઈ, જે રીતે એક્ઝિટ પોલમાં ઓમ ધબાય નમઃ થયું ને જે રીતે ચાર જૂને ટીવીવાળા ભોંઠા પડ્યા એ માટે... કહો કે ઈલેક્શન કરતાં એના તોરતરીકા મજેદાર હતા.
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.