આપણું ભારત આશ્રમોનો દેશ છે. અહીં જીવન જીવવાની કળા શીખવતા આર્ટ ઑફ લિવિંગના આશ્રમો સ્ટ્રેસ-ફ્રી સોસાયટીની રચના કરી રહ્યા છે, તો પોન્ડિચેરીનો શ્રી અરવિંદ આશ્રમ છેક ૧૯૨૬થી આજ દિન સુધી અનેકોને ઇનર પીસમાં રસ તરબોળ કરી રહ્યો છે. ઋષિકેશનો પરમાર્થ નિકેતન આશ્રમ તો ગંગાના કિનારે યોગ-ધ્યાન, સત્સંગ-કીર્તન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોથી સભર હોય છે, જ્યારે કોઇમ્બતુરના ઈશા યોગ સેન્ટરની સેલ્ફ-ટ્રાન્સફોર્મેશનલ પ્રવૃત્તિઓથી તો કોણ અજાણ છે.
આવા અનેક પરંપરાગત, શાંતિદાયક અને રિલિજિયો-સ્પિરિચ્યુઅલ આશ્રમોની ગમતી યાદીમાં કાં તો મહર્ષિ અરવિંદ જેવા યોગી અથવા મહાત્મા ગાંધી જેવા સામાજિક-રાજકીય નેતા જોડાયેલા છે, જેઓએ સ્વતંત્રતાની લડત સાથે-સાથે લોકોને ધર્મ અને આધ્યાત્મના તાંતણે ગૂંથી દેશસેવા સાથે સમાંતરે સમાજસેવા અને આત્માની ઉન્નતિનું પણ કાર્ય કર્યું અને પોતાના ઘર આંગણાને આશ્રમનો દરજ્જો આપી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરી.
ભારતમાં સ્થિત આવા અનેક આશ્રમોમાં સાબરમતીના કિનારે સ્થિત અમદાવાદનો સાબરમતી આશ્રમ એક એવો આશ્રમ છે જે આપણી સ્વતંત્રતાની ચળવળનું મુખ્ય કેન્દ્ર હતું અને જ્યાં મહાત્મા ગાંધી, કસ્તુરબા અને ગાંધીજીના અનુયાયીઓ રહેતા હતા અને તે સાથે તેઓ સાક્ષરતા, શ્રમ, ખેતી, પશુપાલન અને સ્વ-નિર્ભરતાની અનેક પ્રવૃત્તિઓ પણ કરતા હતા.
આમ તો ગાંધીજીનો પ્રથમ આશ્રમ તેમના બેરિસ્ટર મિત્ર, જીવણલાલ દેસાઈના કોચરબ બંગલોમાં ૧૯૧૫થી સત્યાગ્રહનો એક ભાગ હતો, પરંતુ ગાંધીજીને સત્યાગ્રહ ઉપરાંત ખેતી અને પશુપાલનની પ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી. આથી ૧૯૧૭ સુધીમાં સૌ કોચરબના સત્યાગ્રહ આશ્રમથી સાબરમતી નદીના કિનારાના છત્રીસ એકરના વિશાળ વિસ્તારમાં રીલોકેટ થઈ સાબરમતી આશ્રમની શરૂઆત કરી.
ગાંધીજીએ સ્થાપેલા આ સાબરમતી આશ્રમની એક તરફ જેલ અને બીજી તરફ સ્મશાન હોવાથી ગાંધીજી કહેતા કે કોઈ પણ સત્યાગ્રહીએ કાં તો જેલમાં જવાની તૈયારી રાખવાની છે અથવા સ્મશાને.
પોતાની હળવી શૈલીમાં ગંભીર વાતને પણ ગોરંભવા ન દેતાં આ મહાત્મા સાબરમતી આશ્રમને સત્યના માર્ગે નિર્ભય બની ચાલનારનું સ્વર્ગ ગણી અનેક સત્યાગ્રહી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
This story is from the February 10, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 10, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન