દિનચર્યા અને ઋતુચર્યા જીવનશૈલીનાં અભિન્ન અંગ છે. આયુર્વેદ તેમ જ ચરકસંહિતા જેવા વિવિધ ગ્રંથોમાં ઋતુચર્યા અનુસાર દિનચર્યા નક્કી કરવામાં આવી છે. આપણી સમગ્ર જીવનશૈલીના આધારભૂત જે પાયા છે તેમાં આહારવિહાર અને ખાનપાનનું અનન્ય મહત્ત્વ છે. ભારતીય પારંપરિક વિજ્ઞાન પ્રણાલી સાથે જોડાયેલા ગ્રંથો મોસમ બદલાય તે અનુસાર જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો એ મૂળભૂત સિદ્ધાંત પર અમલ કરવાનું સૂચન કરે છે. આપણે વર્તમાન સમયમાં તેને ન્યુટ્રિશન બેઝ્ડ ડાયેટ ફોર્મ, સિઝન બેઝ્ડ ડાયેટ ફોર્મ વગેરે શબ્દોમાં ઓળખીએ છીએ. ન્યુટ્રિશનિસ્ટ કે ડાયેટિશિયન વિવિધ મોસમમાં ખાનપાનમાં કેવા અને કયા પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો તેની માહિતી આપતા હોય છે, જે સર્વજન હિતાય અને સર્વજન સુખાય પ્રેરિત છે, આપણે એવું માની શકીએ.
ઉનાળા દરમિયાન ઘણા ડિહાઇડ્રેશનનો શિકાર બનતા હોય છે, તો ક્યારેક અચાનક જ નબળાઈ કે કમજોરીનો અનુભવ કરતા હોય છે. ડૉ. મેઘા જૈના કે જેઓ દિલ્હી સ્થિત ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર છે, તેઓ જણાવે છે કે, ગરમીની ઋતુમાં કબજિયાત, ડાયેરિયા અને એસિડિટી જેવી સમસ્યાઓ વકરતી જોવા મળે છે. તેનું કારણ છે, રોજિંદા ખાનપાનમાં બદલાવ ન લાવવો અથવા ઋતુ અનુસાર શરીરને અનુકૂલન સાધવામાં જે ચીજવસ્તુઓ આરોગવી પડે તેના પર ધ્યાન ન આપવું. ઘણીવાર આપણે આપણા શરીરની તાસીરને નજરઅંદાજ કરીએ છીએ અને મોસમ બદલાય તે પ્રમાણે ડાયેટ લેવાનું ટાળીએ છીએ, પરિણામે શરીરનું સંતુલન બગડી જાય છે અને બીમાર પડવાના ચાન્સ વધી જાય છે. ઉનાળા દરમિયાન મહદ્અંશે વૉટરબેઝ્ડ એટલે કે જેમાં પાણી કે રસનું પ્રમાણ વધારે હોય તેવા ડાયેટને પ્રાધાન્ય આપવાનું સૂચન તેઓ કરે છે. આ માટે તરબૂચ, શક્કરટેટી, પ્રમાણસર કેરી, તાડફળી, લીંબુપાણી, શેરડીનો રસ, છાશ, નાળિયેરપાણી વગેરે પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ તેઓ આપે છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યની જાળવણી માટે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેની તકેદારી રાખવી મહત્ત્વની છે અને તેથી જ કોઈ પણ હિસાબે શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તેવાં ફળો-શાકભાજી તેમ જ વાનગીઓ આરોગવાની ટકોર કરવામાં આવે છે.
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?