સમાચાર એ નથી કે બિહારના અણનમ મુખ્યમંત્રી અને પલટુરામથી પરિચિત નીતિશ કુમારે ફરી પલટી મારીને ભાજપ સાથે સરકાર બનાવી દીધી. સમાચાર એ પણ નથી કે લાલુ-તેજસ્વીના રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથે નીતિશ કુમારે વગર કારણે શા માટે દગો કર્યો? અને સમાચાર એ પણ નથી કે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનનાં રાજકીય સમીકરણોમાં હવે શું ફેરફાર થશે? સમાચાર એ છે કે ભારતની લોકશાહી હવે બદલાઈ ચૂકી છે, જેમાં મતદારો કોને મત આપે છે કે નથી આપતા, તેનું હવે કોઈ મહત્ત્વ જ નથી! સમાચાર એ છે કે, નવા ભારતની નવી લોકશાહીમાં રાજનેતાઓ શું કહે છે કે શું વચન આપે છે, તેના પર ધ્યાન દેવાની, નોંધ લેવાની કે યાદ રાખવાની હવે જરૂર નથી! અને સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે, હવે નવી તરકીબ શોધાઈ ચૂકી છે, જેમાં કોઈને પણ પક્ષપલટો કરાવ્યા વગર માનભેર આખેઆખી સરકારને રાતોરાત બદલાવી શકાય છે! આ અદ્ભુત તરકીબ એવી છે કે રાજીનામું આપનાર મુખ્યમંત્રીની ખુરશી સલામત રહે છે અને રાજીનામું ન આપનાર ઉપમુખ્યમંત્રીની ખુરશી ગાયબ થઈ જાય છે..! સાચે જ ભારતના રાજનેતાઓને શાબાશી આપવી પડે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદારોને તકલીફ આપ્યા વગર પોતાના લાભમાં, પોતાની રીતે તડજોડ કરવાની મોકળાશ મેળવવા માટે હવે તેમણે કાયદાઓની મર્યાદામાં રહીને જ..હા, કાયદાઓની મર્યાદામાં રહીને છડેચોક મતદારો સાથે દ્રોહ કરી શકવાની નવી ટૅનિક શોધી કાઢી છે..! બિહાર અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોના રાજકારણને જોયા પછી દુનિયાભરના લોકશાહી દેશો માટે ભારત હવે એક કેસ સ્ટડી છે..!
This story is from the February 10, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 10, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન