Denemek ALTIN - Özgür
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati
|December 02, 2024
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

ગુજરાતમાં જુદાં જુદાં સ્થળ અને સમયે ગૌરક્ષા કે સ્ત્રીરક્ષા કાજે જાનનું બલિદાન આપનારા વીરલાના પાળિયા બન્યા. એ જ રીતે સરહદની સુરક્ષા કરતા કે દુશ્મનો સાથેના યુદ્ધમાં વીરગતિ પામનારા સૈનિક તેમ જ કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં મૃત્યુ પામેલા પોલીસની સ્મૃતિમાં પણ શહીદ સ્મારક બન્યાં છે.
અમદાવાદમાં કોમી તોફાનમાં કે પોલીસ ગોળીબારથી મોતને ભેટેલા નાગરિકોની ખાંભી બની તથા સૈનિકો અને પોલીસનાં શહીદ સ્મારક બન્યાં તો પાટનગર ગાંધીનગરમાં ગુજરાતના નવ શહીદ વનકર્મચારીની સ્મૃતિમાં રાજ્યનું પ્રથમ શહીદ સ્મારક એવું વનપાલ સ્મારક સુદ્ધાં બન્યું છે.

ગાંધીનગરના નાયબ વનસંરક્ષક (ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ-ડીસીએફ) ચંદ્રેશ શાનાદ્રે ચિત્રલેખાને કહે છેઃ જંગલમાં ઢોરઢાંખર ચરાવતાં, ગેરકાયદે વૃક્ષ કે કીમતી લાકડાં કાપતાં અને એની હેરાફેરી તથા અમુક વન્યપ્રાણીનો શિકાર થતો રોકવા વનવિભાગના ફીલ્ડ સ્ટાફને સ્થાનિક કે અજાણ્યા લોકો સાથે ક્યારેક બોલાચાલી કે ઘર્ષણ થાય છે. અમુક વાર કર્મચારી વન્યજીવનાં રખોપાં કરવામાં તો ક્યારેક હિંસક પ્રાણીના હુમલાનો ભોગ બને છે, એમાં કોઈકનું મૃત્યુ થાય છે.’
દેશભરમાં વન અને વન્યજીવોનાં સંરક્ષણ તથા સંવર્ધન કરવામાં અનેક વનકર્મીઓ ઘાયલ થયા અને અમુક શહીદ થયા છે. આ શહીદ વનકર્મીઓની સ્મૃતિમાં કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૧૩થી રાષ્ટ્રીય વન શહીદ દિવસ પણ ઊજવે છે.
ગુજરાતના વનવિભાગે ચાર દાયકામાં શહાદત વહોરનારા નવ વનકર્મીની સ્મૃતિમાં ગાંધીનગરમાં ગયા વર્ષે રાજ્યનું પ્રથમ વનપાલ સ્મારક બનાવ્યું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 02, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size