Denemek ALTIN - Özgür
૧૦૧ નૉટઆઉટ
Chitralekha Gujarati
|July 08, 2024
૫૫ પેટન્ટ, ૨૯૦ સંશોધન પેપર, ૧૦ પુસ્તક અને અને... ઑર્ગેનિક કેમિસ્ટ્રી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ જેમનું નામ આજેય આદરથી લેવામાં આવે છે એ ‘ભીષ્મ પિતામહ’ સુખદેવજી લાલા હજી હાર્યા નથી અને થાક્યા પણ નથી. દેશ-દુનિયાનાં અનેક શહેરોમાં ફરી વળેલા ‘લાલાજી’એ જીવનનાં પાછલાં વર્ષોમાં ભાવનગર સાથે ભાવસંબંધ બાંધી લીધો છે.

૧00 વર્ષની વયે પહોંચેલા વયોવૃદ્ધ માણસ શું પ્રવૃત્તિ કરતા હોય? એવા ૯૯ ટકા વૃદ્ધો તો પથારીવશ જ હોય અને પોતાની રોજિંદી દિનચર્યા પણ માંડ કરી શકતા હોય. જો કે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કરનારા સુખદેવજી લાલાની વાત કંઈક અલગ જ છે. ૯૮ વર્ષ સુધી સંશોધન ક્ષેત્રે સતત પ્રવૃત્ત રહેલા અને અત્યારેય વાંચન અને જ્ઞાન અર્જુન સાથે કાર્યરત એવા આ રસાયણવિજ્ઞાની હજી પણ કશુંક નવું જાણવા, કશુંક નવું આપવા તત્પર છે.
પદ્મભૂષણ એવૉર્ડથી સમ્માનિત વિજ્ઞાની ડૉ. સુખદેવ લાલાએ રસાયણશાસ્ત્ર ક્ષેત્રે એક લાંબી સફર પૂરી કરી છે. ઑર્ગેનિક કેમિસ્ટ્રીના ભીષ્મ પિતા તરીકે જેમને બિરદાવવામાં આવે છે એ ડૉ. સુખદેવે પોતાની કારકિર્દીમાં અનેક અદ્વિતીય સોપાન સર કર્યા છે. ભારત સરકારે ૨૦૦૮માં એમને પદ્મભૂષણથી સમ્માનિત કર્યા છે. એ ઉપરાંત, શાંતિ સ્વરૂપ ભટનાગર એવૉર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રૉય એવૉર્ડ, વિશ્વકર્માં મેડલ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવૉર્ડ, વૈશ્વિક ઔદ્યોગિક એવૉર્ડ સહિતનાં અનેક સમ્માન એમના નામે બોલે છે.
આટલાં સમ્માન છતાં નિરાભિમાની, મિતભાષી સુખદેવ લાલા ચિત્રલેખાને કહે છેઃ ‘નૅચરલ પ્રોડક્ટ તથા ઑર્ગેનિક કેમિસ્ટ્રી માટે જે કરી શક્યો એનો આનંદ છે, પરંતુ હજી તો ખૂબ બધું કરવાનું બાકી છે. મારી વય થઈ, પરંતુ મારા વિદ્યાર્થીઓ અને આ ક્ષેત્રમાં કામ કરતા વિજ્ઞાનીઓએ જ્ઞાનયાત્રા ચાલુ રાખી છે એનો આનંદ વધુ છે.’
એમનો આશાવાદ સાચો છે, કારણ કે તથ્યો અને સંશોધનાત્મક આંકડા સાથે લાલાજીએ લખેલાં ૧૦ પુસ્તકો અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ થયેલાં ૨૯૦થી વધુ રિસર્ચ પેપર્સ આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહ્યાં છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશનાં વિશ્વવિદ્યાલયોમાં પણ એમનાં સંશોધનોની નોંધ લેવાતી રહે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 08, 2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Chitralekha Gujarati'den DAHA FAZLA HİKAYE

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size