આવર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીના દિવસોમાં કેન્દ્ર સરકારે વારાફરતી | પાંચ મહાનુભાવોને ભારત રત્ન જાહેર કરી એક પ્રકારે વિક્રમ સર્જી દીધો. આ અગાઉ ક્યારેય એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ભારત રત્ન એવૉર્ડ આપવામાં આવ્યા નથી.
બધા જાણે જ છે કે ભારત રત્ન એ આપણા દેશનું સર્વોચ્ચ નાગરી સમ્માન છે. એ રીતે નિશાન-એ-પાકિસ્તાન એ પાકિસ્તાનનો સર્વોચ્ચ સિવિલિયન એવૉર્ડ છે. ગયા વર્ષે દાઉદી વહોરા સમાજના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને, તો એ અગાઉ જાણીતા ફિલ્મઅભિનેતા દિલીપ કુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરી એવૉર્ડ એનાયત થયો છે. જો કે એનીય પહેલાં પાકિસ્તાને કોઈ ભારતીય નાગરિકને આ એવૉર્ડ આપ્યો'તો, એ હતા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ. ૧૯૭૭માં મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા એ પછી એમણે બે દેશ વચ્ચે સંબંધ સુધારવા માટે જે પહેલ કરી એ માટે ૧૯૮૮માં આ એવૉર્ડ માટે એમને પસંદ કરવામાં આવ્યા હતા.
અમદાવાદસ્થિત ’ગૂજરાત વિદ્યાપીઠ'ના સંકુલમાં જ બન્યું છે મોરારજી દેસાઈની સ્મૃતિમાં આ મ્યુઝિયમ.
જોવાની વાત એ છે કે મોરારજીભાઈને ભારત રત્ન એ પછી (૧૯૯૧માં) મળ્યો! આમ બે પડોશી, પણ આમ બે દુશ્મન દેશના ટોચના એવૉર્ડ મળ્યા હોય એવા મોરારજીભાઈ પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર રાજકીય મહાનુભાવ. મોરારજીભાઈનો જન્મદિન હમણાં જ (૨૯ ફેબ્રુઆરીએ) ગયો. આપણા
શરૂઆતના કેટલાક વડા પ્રધાનના અંતિમસંસ્કાર દિલ્હીમાં થયા હતા અને એમની સમાધિ પણ દિલ્હીમાં છે, પરંતુ મોરારજીભાઈની અંતિમવિધિ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે થઈ હતી અને ત્યાં જ એમની સમાધિ છે, જેને અભય ઘાટ નામ આપવામાં આવ્યું છે.
બે અમદાવાદમાં એમ તો મોરારજીભાઈનું મ્યુઝિયમ પણ છે. એમને મળેલા સર્વોચ્ચ એવૉર્ડ જોવા હોય તો તમારે અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં જવાનું.
રાષ્ટ્રના મોરારજીભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં, પણ અમદાવાદ સાથે એમનો સંબંધ ખાસ્સો લાંબો રહ્યો. પહેલી સરકારી નોકરી (૧૯૧૮), ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (૧૯૪૮) અને એ પછી વિદ્યાપીઠના કુલપતિ (૧૯૬૩). આ જ વિદ્યાપીઠના સંકુલમાં ૨૦૦૩માં મોરારજીભાઈની સ્મૃતિમાં મ્યુઝિયમ બન્યું હતું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.
છત્રીસ વર્ષનો અનોખો ગાઢ સંબંધ...
દર વર્ષે નિયમિત યોજાતી ‘સાહચર્ય’ શિબિર એ કળા-સાહિત્યની એક એવી નિકટતા છે, જેનો ગર્વ દરેક ગુજરાતી ભાવકે લેવો જોઈએ.
કચ્છની એકમાત્ર રાજાશાહી રખાલનું રખોપું થશે?
જૈવ વિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ વિલક્ષણ કહી શકાય એવું કચ્છનું સાડા બાર હજાર એકરમાં ફેલાયેલું ચાડવા રખાલ જંગલ ભૂતપૂર્વ રાજવી અને સરકાર વચ્ચે વર્ષોથી અદાલતી જંગનું કારણ બન્યું છે, જેનો હજી નિવેડો આવ્યો નથી. બન્ને પક્ષ અને પ્રજાને પણ સંતોષ થાય એવો ઉકેલ કચ્છમાં પર્યટન વિકાસનો વધુ એક વિકલ્પ ઊભો કરી શકે એમ છે.
સહસ્થિતિ એ પ્રેમની પૂર્વશરત નથી, પ્રેમની ઉપલબ્ધિ છે...
માનવીય સંબંધો ગતિશીલ હોય છે, અચળ નહીં. સંબંધો જો સમયની સાથે વિકાસ ન કરે તો એ કટાઈ જાય છે. લગ્ન સામે ખતરો લિવ-ઈનનો નથી. એની અસલી મુશ્કેલી આધુનિક સમયની જરૂરત, દબાવ અને પડકારોને પહોંચી વળવા ની ક્ષમતાનો અભાવ છે.
યુદ્ધ ઈઝરાયલ-હમસ વચ્ચે... ધડાકા અમેરિકામાં!
ગાઝા પટ્ટી પરના ઈઝરાયલી આક્રમણનો મામલો હવે એના પ્રખર ટેકેદાર અમેરિકાને દઝાડી રહ્યો છે. અમેરિકાની અનેક વિદ્યાપીઠમાં અત્યારે આ વિગ્રહના વિરુદ્ધમાં આંદોલન ચાલી રહ્યાં છે.
જસ્ટ એક મિનિટ..
સમજદારી અને પ્રતિભા જેવા ફાનસની આપણને અણમોલ ભેટ આપવામાં આવી છે.
અપેક્ષા ને ઉપેક્ષા વચ્ચેની કેડી
કાશ, હું એ વાત સમજાવી શકું, કેટલું ચાહું છું ને ચાહી શકું. અંજના ગોસ્વામી ‘અંજુમ’
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.