મું બઈનો તાજો કિસ્સો. એક ભાઈ એમના મિત્રને એનું સ્કૂટર પહોંચાડવા માટે ઘરેથી નીકળ્યા. હેલ્મેટ પણ પહેરી અને એમનું ડ્રાઈવિંગ પણ સેફ. જો કે રસ્તામાં કોઈ વાહને એમના સ્કૂટરને ટક્કર મારી. આ ભાઈ ઊછળીને રોડ ડિવાઈડર પર પડ્યા. કમનસીબે એમણે હેલ્મેટનો પટ્ટો બાંધ્યો નહોતો એટલે હેલ્મેટ ઊછળીને પહેલાં જ પડી ગઈ અને એ ભાઈનું માથું જોરથી ડિવાઈડરના પથ્થર સાથે અફળાયું.
પછી જે થયું એ તદ્દન ફિલ્મી કે ટીવીસિરિયલ જેવું લાગેઃ ત્રણેક દિવસ કોમામાં રહીને એક જટિલ સર્જરી પછી આ સજ્જન બચી તો ગયા, પણ માથાની નસ દબાઈ જવાથી એમની યાદશક્તિ પર અસર થઈ ગઈ. અત્યારે એ સ્વજનો-મિત્રોમાંથી અમુકને જ ઓળખી શકે છે. બીજા જે એમને મળવા જાય એમની સામે શૂન્યમનસ્ક બની તાક્યા કરે. જો કે ડૉક્ટરોના મતાનુસાર દવાની અસર થતાં નસ ઠીક થશે એટલે ધીમે ધીમે આ ભાઈ એમની સ્મૃતિ પાછી મેળવી લેશે.
આવા કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ. એને આંકડામાં વ્યક્ત કરીએ તો ભારત સરકારના એક રિપોર્ટ અનુસાર ૨૦૨૧માં આપણે ત્યાં કુલ ૪,૧૨,૪૩૨ લોકો કોઈ ને કોઈ રોડ અકસ્માતમાં જખમી થયા અને એમાંથી ૧,૫૩,૯૭૨ જણા મોતને ભેટ્યા, જ્યારે બીજાને નાની-મોટી ઈજા થઈ.
અકસ્માતગ્રસ્તોનો આંકડો આગલા વર્ષ (૨૦૨૦)ની સરખામણીએ ૧૨.૬ ટકા વધુ હતો. આપણે ત્યાં દર વર્ષે સરેરાશ દોઢ લાખ લોકો સડક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે, એમાંથી આશરે ત્રીસ ટકા લોકો સ્કૂટર કે બાઈકચાલક હોય છે અને એમાંથી મોટા ભાગનાએ હેલ્મેટ ન પહેરી હોવાને કારણે હેડ ઈન્જરી એમના મોતનું કારણ બને છે.
૨૦૨૧ના આંકડા જોઈએ. એ વર્ષ દરમિયાન અકસ્માત વખતે માથામાં વાગવાને કારણે ૪૬,૫૯૩ બાઈક કે સ્કૂટરસવાર મોતને ભેટ્યા, જેમાં ૧૩,૭૦૦ પિલિયન રાઈડર (અર્થાત્ પાછળની સીટ પર બેસનારા) હતા. ટૂંકમાં, હેલ્મેટ ન પહેરવાની બેદરકારી વર્ષે ૪૫-૫૦ હજાર લોકોનો ભોગ લે છે. ઈન્ટરનૅશનલ ઑટોમોબાઈલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને એક અગ્રણી મોટરબાઈક રેસ ટીમના લીડર જિન ટોટે હમણાં આ આંક ટાંકીને ભારતીયોને રીતસર ટોક્યાઃ ‘જે દેશમાં ટુ-વ્હીલર પર સવારી કરનારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે ત્યાં વર્ષે આટલા લોકો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પામે છે એ કેવું?’
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 06, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 06, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.