રવિવાર, ૩૦ ઑક્ટોબર. આથમણું થવા આવ્યું હતું. દિવાળીની છુટ્ટી પૂરી થવામાં હતી. કોરોનાને કારણે રંગ અને પ્રકાશના મહાપર્વની ઉજવણી ઝાંખી-ફિક્કી રહી હતી, એનો પૂરો કસ લોકો કાઢી રહ્યા હતા. ત્યાં અચાનક એક તાર તૂટ્યો અને ઘડી-બે ઘડીમાં અનેક જિંદગીના તાર કપાઈ ગયા. ૪૩ વર્ષ અગાઉ મોરબીની મચ્છુ નદી પરનો બંધ ભારે વરસાદી પાણીના પ્રવાહમાં ધસી ગયો હતો. આ રવિવારે મોરબીમાં એ જ મચ્છુ નદી પરનો એક રાહદારી પુલ તૂટ્યો. આ એક ઝૂલતો (સસ્પેન્શન) બ્રિજ હતો, એય ૧૪૩ વર્ષ અગાઉ બંધાયેલો. અત્યાર સુધી અડીખમ રહેલા એ બ્રિજનું આયખું લંબાવવા એની મરામત કરાવવામાં આવી, પરંતુ સમારકામ પછી ફરી એ ખુલ્લો મુકાયો એના પાંચમે દહાડે પુલ એક બાજુએથી તૂટ્યો અને અનેક જણને મચ્છુમાં જળસમાધિ અપાવી દીધી.
આમ જોઈએ તો માત્ર એ ઝૂલતા પુલનાં ફાડચાં થયાં નથી, એ પુલના લોખંડી તાર તૂટવા સાથે અનેક પરિવાર ખંડિત થયા છે. સરકારી આંક પ્રમાણે ૧૩૫ તો બિન-અધિકૃત આંક મુજબ ૧૫૦ લોકોનાં આકસ્મિક મોત થયાં છે.
ના, આ આભ ફાટે કે હિમપ્રપાત થાય અથવા તો વાવાઝોડું કે સુનામી આવે એવી કુદરતી આફત નથી, આ ચોખ્ખચોખ્ખી માનવસર્જિત હોનારત છે. મોરબીની આ જ મચ્છુ નદીમાં ચારેક દાયકા અગાઉ પૂર આવેલાં ને અનેક લોકોને તાણી ગયેલાં, એમાં દોષ કુદરતને આપી શકાય. આ રવિવારે જે થયું એ માટે ઉપરવાળા સામે આંગળી ચીંધી શકાય એમ નથી.
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 14, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 14, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.