ગુજરાતમાં સુરતની બેઠક ભાજપને બિનહરીફ મળી અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા. એ ઘટનાએ કોંગ્રેસને માત્ર પ્રાદેશિક સ્તરે જ નહીં તો રાષ્ટ્રીય સ્તરે આઘાત અને આંચકો આપ્યો છે. ભાજપે આ બેઠક બિનહરીફ મેળવવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હોય એ તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ ચૂંટણી જંગમાં કોંગ્રેસ આટલી હદે અબુધ અને બેદરકાર પુરવાર થાય એ આશ્ચર્યજનક છે. આવી સ્થિતિમાં મૂલ્યો અને નૈતિકતાના તત્ત્વજ્ઞાનની કોઈ ફલશ્રુતિ પ્રાપ્ત થતી નથી. અગાઉનાં વર્ષોમાં પૂર્વાશ્રમમાં જનસંઘ અને ભાજપના આરંભનાં વર્ષોમાં વારંવારના પરાજય સમયે બીજે દિવસે તેના નેતાઓનાં નિવેદનો આપતાં કે નૈતિક વિજય અમારો છે. આવી આત્મ સંતુષ્ટિ કેળવવી એ પણ કષ્ટદાયક હોય છે, પરંતુ આવી મનોભાવના સાથે વર્ષોવર્ષ લડતા-ઝઝૂમતા રહેવાનું સરળ નથી હોતું. ભૂતકાળમાં કોંગ્રેસના ઉમેદવારો જ્યારે પણ બિનહરીફ વિજેતા બન્યા હતા એ બધા કાંઈ સદાચારથી જ વિજેતા બન્યા હશે એવું માની લેવાની જરૂર નથી.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 04/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન