કચ્છમાં જૈન સાહિત્ય અને જૈન જ્ઞાનની સાચવણી વર્ષોથી થઈ રહી છે. અહીંના જૈન ગ્રંથ ભંડારોમાં સેંકડો વર્ષો જૂની હસ્તપ્રતો, અમૂલ્ય ગ્રંથો તો સચવાયેલાં છે જ, પરંતુ આ જ્ઞાન આજના જમાનામાં ધીરે ધીરે વિસરાઈ રહ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનથી લોકો પરિચિત રહે, સમાજનાં બાળકોને ધાર્મિક સાથે સાંસ્કૃતિક શિક્ષણ મળી રહે, આગળ જતાં તેમાંથી જ વિદ્વાન સાધુ-સાધ્વીજીઓ જૈન સંઘને મળે, બાળકો સારા શ્રાવકો બને તેવા હેતુથી ૬૦ વર્ષ પહેલાં કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામે ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરાઈ હતી. આ વિદ્યાપીઠને થોડા સમય પછી નજીકના નાગલપર ગામે ખસેડાઈ હતી અને મેરાઉની વિદ્યાપીઠમાં બાલિકાઓ માટે વિદ્યાપીઠ ચાલુ કરાઈ હતી. બંને વિદ્યાપીઠો માંથી સાત-આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અને તેમાંથી ૧૦થી ૧૫ તો વિદ્વાન સાધુ- સાધ્વીજીઓ તરીકે આજે ઓળખાઈ રહ્યા છે. આ સંસ્થામાં ભણેલાં અનેક બાળકો આજે સમાજના અગ્રણી તરીકે સેવા બજાવી રહ્યા છે. જૈન તત્ત્વજ્ઞાન, તેના સંસ્કારને જીવંત રાખતી આ સંસ્થાઓ આજે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ છે. આ સંસ્થામાં ભણવા આવનારા વિદ્યાર્થીઓ ઘટી જતાં, તેને બંધ કરવાની ફરજ પડી છે. જ્ઞાન સંવર્ધન, વર્ધનની બંધ પડેલી પ્રવૃત્તિ ભવિષ્યમાં રંગરૂપ બદલી ચાલુ કરવાની સંસ્થાના ટ્રસ્ટીઓને આશા છે.
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. એક જમાનામાં ભારતીય સંસ્કારો ઉપર થતાં પશ્ચિમી આક્રમણથી ચિંતિત બન્યા હતા. તેઓ સાચું શિક્ષણ આપી, જાગૃતિ લાવવા, ધર્મ, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રાખવા માટે કોઈ સંસ્થા સ્થાપવા વિચારતા હતા. તેમને માંડવી તાલકાના મેરાઉ ગામે આવી સંસ્થા શરૂ કરવાનો યોગ ઊભો થયો. મેરાઉ ગામના જૈન સંઘે પોતાના હસ્તકના ૧૬ ડબલ રૂમ ધરાવતું વિશાળ મકાન આ સંસ્થા શરૂ કરવા માટે ભેટ આપ્યું અને શરૂ થઈ ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ.’ અચલગચ્છ(વિધિ પક્ષના) આચાર્ય પૂ. આર્યરક્ષિતસૂરીશ્વરજી મ.સા.ની પાવન સ્મૃતિને જીવંત રાખવા આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયું હતું.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 20/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 20/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન