નદી આપણી માતા છે અને તેની પવિત્રતા જાળવી રાખવાનું આપણું કર્તવ્ય છે, આવી લાગણીસભર વાતોની હવે આપણા દિલદિમાગ પર અસર થતી નથી. સામાન્ય નદીઓની વાત જવા દઈએ, પણ આપણે જેને અતિ પવિત્ર અને પાપનાશિની નદી માનીએ છીએ એ ગંગા અને યમુનાને પણ ગંદી અને પ્રદૂષિત કરવામાં આપણે હિચકિચાટ અનુભવતા નથી. માનવ સમાજના અસ્તિત્વ અને સંવર્ધનમાં નદીઓનું સ્થાન અને મહત્તા શું છે એ સમજાવવું પડે તેમ નથી. પાણી વિના આપણે કેવો તરફડાટ અનુભવીએ છીએ એટલું જ મનોમન સ્મરણ કરી લેવાથી નિર્મળ નીર વહાવતી નદીની મહત્તા સમજાઈ જશે. આવી આ નદીઓ સુકાઈ જશે ત્યારે શું થશે? પાણી વિનાની નદીની કલ્પના થઈ શકે? વર્ષના થોડા મહિના સુકાઈ જતી નદીનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. જેટલો સમય નદીમાં પાણી વહે છે ત્યાં સુધી એ જીવંત લાગે છે. પાણી વિનાનો નદીનો પટ સૂકો ભઠ્ઠ, નિર્જીવ ભાસે છે. કોઈ કવિ તેને રેતીની નદી કહી શકે. આ નદીઓને જીવંત રાખવાની ચિંતા હવે વિશ્વને સતાવવા લાગી છે. અમેરિકામાં નદીઓ સુકાવા લાગી છે, તેના પાણીનો પ્રવાહ સંકુચિત થવા લાગ્યો છે. તેનાથી અમેરિકા ચિંતિત બન્યું છે. વાસ્તવમાં આ સમસ્યા એકલા અમેરિકાની નથી. તેનું સ્વરૂપ વૈશ્વિક સ્તરનું છે. નદીઓનું અસ્તિત્વ સંકટમાં છે અને તેને કેવી રીતે બચાવવી એ મોટો પ્રશ્ન છે.
Bu hikaye ABHIYAAN dergisinin June 10, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin June 10, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા