અમેરિકામાં આજે ૩૦ લાખથી વધુ ભારતીયો ગ્રીનકાર્ડધારક યા અમેરિકન સિટીઝન તરીકે કાયમનો વસવાટ કરી રહ્યા છે. છેલ્લાં દસ વર્ષથી વધુ સમયથી દર વર્ષે એક લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટે એચ-૧બી વિઝાની વાર્ષિક કોટાની મર્યાદા ૮૫,૦૦૦ની છે. ભારતીયો એમાંના ૬૦ ટકા પ્રાપ્ત કરે છે. આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓના અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ હેઠળ જે ખાસ નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના એલ-૧ વિઝા ઘડવામાં આવ્યા છે, એની હેઠળ ભારતીય વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં અમેરિકામાં બિઝનેસ કરી રહ્યા છે. આ ઉપરાંત જુદા-જુદા પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઉપર સંખ્યાબંધ ભારતીયો ટૂંક સમય માટે વિવિધ કાર્યો કરવા રોજેરોજ અમેરિકા જાય છે. અમેરિકાના નોનઇમિગ્રન્ટ વિઝા સૌથી વધુ સંખ્યામાં ભારતીયો મેળવી રહ્યા છે.
અમેરિકામાં જે ડૉક્ટરો છે, એમાં ૧૦ ટકા ભારતીયો છે. અમેરિકાની શાળા અને કૉલેજોમાં શિક્ષણ આપતા ટીચરો અને પ્રોફેસરોમાં ભારતીયોની સંખ્યા ખૂબ જ મોટી છે. સિલિકોન વેલી જે કમ્પ્યુટરના વ્યવસાય માટે જગજાહેર છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવનારા વિશ્વના સર્વે શ્રેષ્ઠ નિષ્ણાતો ત્યાં આવેલી જુદી-જુદી કંપનીઓમાં કાર્યરત છે એ સર્વેમાં ત્રીજા ના નિષ્ણાતો ભારતીયો છે. અમેરિકામાં આવેલી હાઈટેક કંપનીઓના પાંચ ટકા જેટલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો ભારતીયો છે.
Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન