કિન્નોરનું પ્રવેશદ્વાર ગણાતું સરહન હિમાચલ પ્રદેશનું નાનું એવું ગામ છે, જે તેના ભીમાકાલીના વુડન ટેમ્પલ માટે જાણીતું છે. પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડની નજીક રહેલું આ રૂપકડું હિમાચલી ગામ સરહન બુશહર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એક જમાનામાં તે બુશહર રાજ્યનું સમર કૅપિટલ પણ હતું.
૭,૫૮૯ ફૂટની ઊંચાઈ ધરાવતા આ સરહનમાં નવેમ્બરથી માર્ચમાં થોડા-થોડા વરસાદ સાથેની હળવીથી ભારે બરફ વર્ષા થયા કરે છે અને એપ્રિલથી જુલાઈના ઉનાળામાં અહીં દસથી અઠ્યાવીસ સેલ્સિયસનું તાપમાન પ્રવાસીઓને આવકારે છે. ઑગસ્ટથી ઑક્ટોબરમાં આ હિમાચલી પ્રદેશ સાધારણ વરસાદમાં નીતરતો હોય છે અને આપણને કહેતો પણ હોય છે કે વૅલકમ ઇન ધ વાઇબ્રન્ટ લૅન્ડ ઑફ મા ભીમાદેવી.
ન્યુ દિલ્હીથી ૫૬૪ અને શિમલાથી ૧૭૨ કિલોમીટર દૂર રહેલું આ સરહન સતલજ રિવર વેલીથી ખૂબ નજીક હોવા ઉપરાંત સફરજનનાબગીચાઓ, પાઇન અને દેવદારનાં ગાઢ જંગલો, પુરજોશમાં વહેતાં ઝરણાંઓ, ટૅરેસ ફાર્મિંગ, સલેટિયા પથ્થરના રુડિંગવાળા ચિત્રમયી ઘરો, જંગલી ફૂલોથી સભર મેદાનો અને હિમાચલી ગામડાંની પરફેક્ટ ફીલ આપતું ગામ છે.
સ૨હન અપ્રતિમ દૃશ્યફલકોનું પણ માલિક છે. અહીં ગામની એક તરફ કરાડો ધરાવતા પર્વતો છે અને બીજી તરફ લીલીછમ ખીણ છે. પ્રકૃતિના બેવડા આશીર્વાદ પામેલા આ હિમાલયન ગામમાંથી ૧૭,૧૫૦ ફૂટ ઊંચા શ્રીખંડ મહાદેવ શિખરનાં દર્શન થતાં હોવાથી સરહનમાં હોવું એટલે જાણે શિવ સમીપે હોવાની પવિત્ર ફીલ હોય છે.
મૂળ તો બુશહર રાજ્યનાં કુળદેવી ગણાતાં ભીમાકાલીના વુડન ટૅમ્પલથી વધુ જાણીતાં આ સરહનમાં ભીમાકાલીનું મંદિર પ્રવાસીઓનું સેન્ટર ઑફ એટ્રેક્શન છે. બાવન શક્તિપીઠમાંની એક ગણાતી આ શક્તિપીઠ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. પૌરાણિક કથાઓ અને દંતકથાઓથી શ્રદ્ધેય ભીમાકાલીના પાંચ માળ ધરાવતા કાઠમંદિરના ઉપલા માળે મા કાલી બિરાજે છે. જ્યારે નીચેના ફ્લોર પર મા પાર્વતીની પ્રતિમા પૂજાય છે. ભીમાકાલીના આ ટૅમ્પલ કોમ્પ્લેક્ષના આંગણે પાતાળ ભૈરવજી, નરસિંહજી અને ભગવાન રઘુનાથજીનાં મંદિરો પણ છે જે હિન્દુઇઝમની ધારાનો દીવો પ્રજ્વલિત રાખી રહ્યા છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 11/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 11/05/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે
એજ્યુકેશન સ્પેશિયલ
શિક્ષા બની ચૂકેલા શિક્ષણથી ‘શિક્ષાન્તર’
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઊંચા પરિણામનો સંકેત શું?
૨૦૨૧માં ધોરણ દસમાં માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ અગિયારમાં એડ્મિશન માટે બહુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. શું આ વર્ષે ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય? પ્રાથમિક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ધોરણ અગિયારમાં નવા ૫૦૦ વર્ગખંડો અને ઓછામાં ઓછા ૧,૨૦૦ શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે. અત્યારે પણ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિષ્ણાત શિક્ષકોની ઘટ છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ નિષ્ણાત શિક્ષકોની ભરતી કરી શકશે?
વાયરલ પેજ
નવો પૈસો, જૂનો પૈસો અને સંપત્તિની સાઠમારી
એનાલિસિસ.
ભારતનું ચૂંટણીપંચ કેટલું કાર્યદક્ષ? કેટલું કટિબદ્ધ?