ચેચેન્યા રશિયાનો મુસ્લિમ મેજોરિટી ધરાવતો એક પ્રદેશ છે. સોવિયેત સંઘ વિખેરાયો ત્યારે પડોશના મુલ્કો જેવા કે તાજિકિસ્તાન, કઝાખસ્તાન, અઝરબૈઝાન વગેરેને સ્વતંત્ર જાહેર કરાયા, પરંતુ ચેચેન્યાને રશિયા સાથે જોડી રખાયું. ૧૯૯૯ બાદ ચેચેન મુસ્લિમ વિદ્રોહીઓએ રશિયા સામે ખૂબ જ હિંસક લડાઈઓ લડી. ત્રાસવાદ આચર્યો. મોસ્કોના એક સિનેમાઘરને ચાલુ શૉ દરમિયાન બાનમાં લીધું. રશિયાએ સિનેમા હૉલમાં ઝેરી ગેસ છોડીને ત્રાસવાદીઓને બેભાન કરી દીધા. પોતાના નાગરિકોને તાબડતોબ હૉસ્પિટલમાં ખસેડી સારવાર આપી છતાં અમુક રશિયનો પણ માર્યા ગયા. ચેચેન ત્રાસવાદીઓને મારી નાખ્યા. બાદમાં ચેચેન વિદ્રોહીઓએ એક રશિયન ભૂલકાંઓની શાળા કબજામાં લઈ લગભગ ચારસો ભૂલકાંઓને મારી નાખ્યા. આટલી હિંસક અને ખૂંખાર પ્રજા છે. બીજી તરફ તેઓને પણ વશમાં કરી લેનારા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન છે.
લોકો રશિયાના હોય કે ચેચેન્યાના. તેઓ જથ્થાબંધ મરે તો પણ પુતિનનું કાળજું ન કંપે. આવા લોકો જ સફળ તાનાશાહ બની શકે છે, પણ એ સફળતા તેઓને ભાન ભુલાવી દે તો મોટી નિષ્ફળતાનું કારણ બને છે. વિદ્રોહીઓ અને યુરોપિયનો પર ધાક જમાવવામાં પુતિન સફળ રહ્યા તેથી ઘરઆંગણે ખૂબ લોકપ્રિય રહ્યા. બાદમાં મદોન્મત બની જે નિર્ણયો લીધા તેમાં પારધીની માફક પોતાની જાળમાં ફસાઈ ગયા છે. ચેચેન્યાના ગવર્નર તરીકે પુતિનની સરકારે રમઝાન કાદીરોવ નામના એક પોતાની જેવા જ નિર્દય ચેચેન લીડરની નિમણૂક કરી છે. આ કાદીરોવ પુતિનને ખુશ કરવાની ફિરાકમાં જ જીવી રહ્યો છે. યુક્રેન પર આક્રમણ કર્યા બાદ કિવના પાદરમાંથી રશિયન દળોએ પીછેહઠ કરવી પડી ત્યારે કાદીરોવ બોલ્યો હતો કે સાહેબ (પુતિન) હુકમ કરે તો ચેચેનના લડાયકો ગણતરીના દિવસોમાં જ યુક્રેન કબજે કરી લેશે. ખૂંખાર ધમકીની ભાષામાં એ વાત કરતો હતો. એ પણ કરી જોયું. સાડા નવ મહિના બાદ રશિયનો અને ચેચેન રશિયનો સહિત તમામની કારી ફાવતી નથી. હવે હમણાં રમઝાન કાદીરોવે પુતિનને સલાહ આપી છે કે યુક્રેન પર ઓછી ક્ષમતાનો પરમાણુ બૉમ્બ ફેંકવામાં આવે. આ જબાનમાં પુતિન પણ ઘણા સમયથી ધમકી આપી રહ્યા છે. પુતિન આવું કરી શકે છે. રશિયન સેનાના ટોચના સો જેટલા સેનાપતિઓ, અધિકારીઓ સહિત એક લાખ જેટલા રશિયનો અને પંદર હજાર જેટલા યુક્રેનિયનો માર્યા ગયા છે, પણ પુતિનના પેટનું પાણી હલતું નથી. પરમાણુ શસ્ત્રો વાપરવાની ધમકી આપી રહ્યા છે.
Bu hikaye ABHIYAAN dergisinin October 15, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 15, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન