જુઓ, અકબરના જમાનામાં ભારતમાં ૧૦,૦૦૦ ચિત્તા હતા. રાજા-મહારાજા ચિત્તાનો ઉપયોગ હરણ જેવાં પ્રાણીનો શિકાર કરવામાં કરતા. ચિત્તાઓને એ માટે કેળવવામાં આવતા. વખત જતાં શિકારશોખીનોએ ખુદ ચિત્તાના શિકાર કરવાનું શરૂ કર્યું, એ શૌર્યની વાત ગણાતી. ૧૯૪૭માં મધ્ય પ્રદેશમાં એક રાજાએ ભારતના ત્રણ અંતિમ ચિત્તા મારી નાખ્યા. ભારતમાંથી એશિયાટિક ચિત્તાનું આ રીતે નિકંદન નીકળ્યા પછી ૧૯૫૨માં ઈરાનથી ચિત્તા લાવવાનો પ્રયત્ન થયેલો. એ વખતે કહેવામાં આવ્યું હતું કે ઈરાનમાં ૨૦ ચિત્તા શેષ છે, પણ પછી ખબર પડી કે આઠ જ હતા.
ડૉ. પ્રજ્ઞા ગિરડકરને ચિત્તા વિશે બોલવાનું કહીએ તો એ ખૂબ ઉત્સાહપૂર્વક, કહો કે ચિત્તાની ઝડપે બોલતાં જ રહે. ભારતના ટોચનાં વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનિસ્ટ એવાં પ્રજ્ઞા ગિરડકર વિશે જાણતાં પહેલાં આફ્રિકાનાં જંગલોમાંથી ભારતમાં ચિત્તા લાવવાના પ્રોજેક્ટ વિશે પ્રજ્ઞાજીના શબ્દોમાં જ જાણી લઈએ.
ચિત્તા કન્ઝર્વેશન ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોરી માર્કરના મતે આફ્રિકામાં ૭૫૦૦ કરતાં વધારે ચિત્તા છે. લોરી માર્કરે ૨૦૦૯-૨૦૧૧ વચ્ચે ભારતની અનેક ખેપ કરીને ત્રણેક સાઈટનો સર્વે કરેલો, જેમાં આફ્રિકન ચિત્તાને વસાવી શકાય. છેવટે મધ્ય પ્રદેશનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પસંદ કરવામાં આવ્યું.
૨૦૧૧માં આ જ લોરી માર્કરે કન્ઝર્વેશનની તાલીમ માટે ભારતમાંથી મને એકલીને પસંદ કરીને સ્કૉલરશિપ આપી. મેં એક મહિનો નામીબિયાનાં જંગલમાં રહીને ચિત્તાની ફિઝિયોલૉજી, ઓનોટોમી, રસીકરણ, સારવાર, હેલ્થ મોનિટરિંગની તમામ પ્રકારની તાલીમ લીધી.
This story is from the October 10, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 10, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.
રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ
ના, એમને આડાંઅવળાં કામમાં ગોંધી રાખવાનાં નથી, પરંતુ ઘરમાં જ જ્ઞાન સાથે ગમ્મત મળે એવું કરવાનું છે.
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા