![ઈન અદાઓં કે દીવાને હજારોં થે...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1715869271/articles/ibgto1PcE1716705890122/1716708088697.jpg)
થોડા મહિના પહેલાં આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ તથા અમુક ક્રિયાકાંડોના વિરોધી એવા પ્રખર સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો દ્વિશતાબ્દી જન્મ મહોત્સવ સૌરાષ્ટ્રના ટંકારામાં ઊજવાયો હતો.
વર્ષ ૧૮૨૪માં ટંકારામાં જન્મેલા મૂળશંકર ત્રિવેદી દીક્ષિત થઈને સાધુ મહર્ષિ દયાનંદ બન્યા. એમણે ૫૯ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ૧૮૮૩ની ૩૦ ઑક્ટોબરે અજમેરમાં દેહ છોડ્યો.
મહર્ષિના અવસાન અંગે ટંકારાસ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળના પ્રધાન આચાર્ય રામદેવજીએ ચિત્રલેખાને ચોંકાવનારી વાત કહી હતીઃ ‘જોધપુરના રાજા જશવંતસિંહજી નન્હી બેગમ (નન્હીજાન) નામની તવાયફના પ્રેમમાં ગળાડૂબ હતા. એક વાર ધર્મોપદેશ માટે નીકળેલા મહર્ષિ દયાનંદે રાજાને દુરાચારમુક્ત થઈને રાજશાસન ચલાવવાની સલાહ આપી. એનાથી નારાજ થઈને રાજા અને નન્હી બેગમે દયાનંદજીને મારી નાખવા ષડયંત્ર રચ્યું અને દયાનંદજીને એમના રસોઈયા જગન્નાથ મારફતે ઝેરમિશ્રિત દૂધ પિવડાવ્યું. ઝેરથી અસ્વસ્થ થયેલા દયાનંદજીએ આબુમાં રાજવૈદ્યની સારવાર લીધી. બાદમાં અજમેર ગયા, જ્યાં એમનું અવસાન થયું.’
આ ઘટનાથી મહર્ષિ દયાનંદના મૃત્યુ માટે એક તવાયફ પણ જવાબદાર કહેવાય.
તવાયફ આ શબ્દ સાંભળતાંવેંત નજર સામે સમી સાંજે આછા અજવાળામાં મેકઅપ અને આભૂષણોથી સજ્જ, પારદર્શક ઓઢણી ઓઢી, પગમાં ઘૂંઘરું બાંધીને માદક અદા વેરતી નર્તકી નજરે પડે. એ ગઝલ કે ઠૂમરી ગાતી હોય.
ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા... (પાકીઝા) અથવા દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીયે કે પછી ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ (ઉમરાવ જાન) જેવાં ફિલ્મી ગીતોએ તવાયફોને બહુ પ્રસિદ્ધિ આપી.
તવાયફ માટે મૂળ ઉર્દૂ શબ્દ તયફીનો અર્થ છે હરતુંફરતું જૂથ. ભગવદ્ગોમંડલ મુજબ તવાયફ એટલે રામજણી. કોઠા (નાચ-ગાન ભજવણી અને એ નર્તકીનું રહેઠાણ સ્થાન)માં તવાયફ મહદંશે સાંજે વાદકો સંગે ઠૂમરી, ગીત, ગઝલ, વગેરે ગાતી એથી લોકો એને કોઠાવાળી, નાચ-ગાનવાળી કે બાઈ તરીકે ઓળખતા. તવાયફોનો ઈતિહાસ જૂનો છે. સાથે રોચક અને કરુણાજનક પણ ખરો. જો કે હવે તવાયફની ઝલક વધુ તો તસવીર, ચિત્ર, પુસ્તક, ફિલ્મ, નાટકમાં જોવા મળે છે.
This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/kOIdo_6M11718459556968/1718461205621.jpg)
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
![સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/_0vqu3mHN1718457927611/1718459562211.jpg)
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
![ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/cIX6D-CqH1718455353749/1718457204474.jpg)
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
![શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/UpC0uzZ3K1718454244714/1718455263697.jpg)
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
![જસ્ટ, એક મિનિટ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/8AgiBpJqE1718453430705/1718454110420.jpg)
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
![વન-વેથી મન-વે સુધી](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/iztnA2JG01718452029638/1718453375749.jpg)
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
![કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/bOkQJSaTw1717509561543/1717856125293.jpg)
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
![કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/h6eSDfRGb1717585805505/1717855659919.jpg)
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
![ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/7nQIj8SSX1717678923675/1717855643330.jpg)
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
![રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/qhdNjrTfX1717656035677/1717855389173.jpg)
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?