આપણા બધા જ નાટ્યકારો અમેરિકાના નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘પી-૩’ સંજ્ઞા ધરાવતા કલ્ચરલી યુનિક પ્રોગ્રામ કરવા માટેના જે વિઝા ઘડવામાં આવ્યા છે એ વિઝા મેળવીને અમેરિકામાં નાટક ભજવવા જાય છે.
અમેરિકામાં નાટક ભજવવા જવું હોય એના એક વર્ષ પહેલાં ‘પી-૩' વિઝા માટે પિટિશન દાખલ કરી શકાય છે. આ માટે ફોર્મ આઈ-૧૨૯ ભરીને અમેરિકાના ઇમિગ્રેશન ખાતાને સુપરત કરવાનું રહે છે. આ પિટિશન નાટક ભજવનાર મંડળીને અમેરિકાની જે કોઈ કંપની આમંત્રણ આપતી હોય યા તો સ્પોન્સર કરતી હોય યા તો એની એજન્ટ હોય તેઓ દાખલ કરી શકે છે. પિટિશનમાં જે વ્યક્તિ યા સંસ્થાએ પિટિશન દાખલ કરતી હોય એણે પોતાને લગતી બધી જ વિગતો દર્શાવવાની રહે છે. તેઓ અમેરિકામાં શું કરે છે? એમની આવક કેટલી છે? ભૂતકાળમાં એમણે આવાં નાટકો ભજવવા માટે કોઈને અમેરિકામાં આમંત્ર્યા છે? આ સઘળી વિગતો આપવાની રહે છે. ભારતીયોને તેઓ આમંત્રણ આપતાં હોય એમના વિશે પણ જાણકારી આપવાની રહે છે. દરેક બેનિફિશિયરી વિશે એમની ખાસિયતો-આવડતો જણાવવાની રહે છે. એમણે ભારતમાં તેમ જ અન્ય કોઈ દેશોમાં નાટકો ભજવ્યાં હોય તો એ વિશે પણ જાણકારી આપવાની રહે છે. એમના ફોટાઓ, એમને મળેલાં ચંદ્રકો, ઍવૉર્ડ્સ, પ્રશસ્તિપત્રો આ સઘળું પુરાવાઓ સહિત આપવાનું રહે છે.
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ