કચ્છમાં ફરી દારૂ સામેની ‘ગુંજ’ ગુંજતી થાય તે જરૂરી
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છ સહિત રાજ્યભરમાં દારૂ છૂટથી મળે છે અને પીવાય છે. આ દૈત્યના કારણે અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યાં છે. થોડાં વર્ષો પહેલાં કચ્છમાં દારૂનું દૂષણ અટકાવવા માટે ‘ગુંજ' નામની ચળવળ ચાલુ થઈ હતી. મહિલાઓ સ્વયંભૂ રીતે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડતી, દારૂનો નાશ કરતી. આજે આ ચળવળ ચાલતી નથી, પરંતુ અમુક ગામોમાં મહિલાઓ પોતાની રીતે દારૂ સામે જંગ છેડે છે, તેનાં પરિણામો મળે છે, પરંતુ થોડા સમય પૂરતા. દારૂના દૈત્યને કાયમ માટે નાથવાનો સમય આવી ગયો છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં ફરી દારૂ સામેની ‘ગુંજ’ ગુંજતી થાય તે જરૂરી

દારૂના દૂષણ સામે વારંવાર જંગ છેડવા છતાં તેનો અંત આવતો નથી. થોડા સમય દબાયેલું આ દૂષણ ફરી વધુ જોશમાં યુવાધનને પોતાના કબજામાં કરી લે છે. કચ્છનાં શહેરો અને ગામડાંમાં અનેક કુટુંબો દારૂના કારણે બરબાદ થાય છે. સંતાનોએ પિતાને ખોયા છે, માતા-પિતાએ પુત્રોને ગુમાવ્યા છે અને પત્નીઓનો જીવનનો સહારો છીનવાયો છે. થોડા-થોડા સમયે બુટલેગરો પાસેથી ઓછોવધુ દારૂ પોલીસ પકડે છે, પરંતુ બુટલેગર છટકી જાય છે. જેના કારણે થોડા જ સમયમાં ફરી દારૂ બનાવવાનું અને વેચવાનું ચાલુ કરી દે છે. પહેલાં માત્ર પુરુષોનો ઇજારો દારૂ પીવામાં અને બનાવવામાં મનાતો હતો, પરંતુ આજે અનેક મહિલા બુટલેગરો અને મહિલા દારૂના વ્યસનીઓ જોવા મળે છે. આ દૂષણને ડામવામાં પોલીસ વામણી પુરવાર થાય છે. તેથી જ નાનાં-મોટાં ગામોમાં મહિલાઓ દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકીને તેનો નાશ કરતી જોવા મળે છે, પરંતુ સમાજના પૂરતા સહકારની, પોલીસના મક્કમ પીઠબળ સાથે દારૂના દૂષણને કાયમ માટે ડામવાની જરૂર છે.

થોડાં વર્ષો પહેલાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા દારૂ સામે પગલાં લેવા માટે ‘ગુંજ’ નામની ઝુંબેશ ચલાવાઈ હતી. ‘ગુંજવાળી’ બહેનોનાં નામની ધાક પણ બરાબર જામી હતી. જ્યાં દારૂના અડ્ડા હોવાની ખબર પડે ત્યાં આ બહેનો જતી અને અડ્ડા બંધ કરાવતી, પરંતુ સમય જતાં આ ઝુંબેશ નબળી પડી ગઈ. આજે કચ્છમાં અલગ-અલગ ગામની મહિલાઓ જાતે જ એકઠી થઈને અડ્ડાઓ બંધ કરાવવા પ્રયત્ન કરે છે. તેમને ક્યારેક પોલીસનો ટેકો મળે છે, ક્યારેક મળતો નથી. દારૂની બદી પાછળ મોટા ‘હપ્તા’ જવાબદાર હોવાનું મનાય છે. જો ફરી વખત મહિલાઓ સાથે મળીને મોટી ઝુંબેશ ચલાવે તો પોલીસને પણ ફરજિયાત આ દૂષણ દૂર કરવા પગલાં લેવાની ફરજ પડશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દારૂનો વપરાશ વધશે, પોલીસના દરોડા વધશે, પરંતુ દૂષણ તેનાથી નાથી શકાશે નહીં, તે હકીકત છે.

This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 mins  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024