રેખ્તા નો શાબ્દિક અર્થ · ભાંગીતૂટી’ કે ‘મિશ્ર’ એવો થાય છે. ૧૩મી સદીના હિન્દી-ફારસી કવિ અમીર ખુશરોએ સ્થાનિક ભાષા જૂની હિન્દી મિશ્રિત ફારસીને ‘હિન્દવી’ એવું નામ આપ્યું. ત્યાર બાદ બાબા ફરીદ જેવા મુસ્લિમ કવિઓએ આ સ્વરૂપનો વિકાસ કર્યો અને ૧૮મી સદી સુધીમાં તો તેને સાહિત્યિક દરજ્જો મળવા લાગ્યો અને તે ‘ઉર્દૂ’ તરીકે જાણીતી થઈ. ભાષાનું બદલાયેલ સ્વરૂપ માત્ર અપભ્રંશ નથી હોતું. તેમાં બદલાયેલાં લોક-કાલનાં આવર્તનો અંકિત થયાં હોય છે. ભાષા સંવાદનું પ્રાથમિક માધ્યમ છે. એથી તેમાં આવેલ મિશ્રતામાં પરસ્પરની જરૂરિયાત અને સ્વીકારના વણકહ્યા કરાર રહેલા હોય છે. આપણાં દેશની ૧૪૦ કરોડ જનતામાં કુલ ૨૨ ભાષાઓ, ૧૨૩ પેટા ભાષાઓ પ્રચલિત છે. એટલું જ નહીં, બાર ગાઉએ બદલાતી એવી અંદાજે ૧૯,૫૦૦ જેટલી બોલીઓ ચલણમાં છે. સમયાંતરે તેમાં પરિવર્તનો થતાં રહે છે. ફારસી લિપિ અને જૂની હિન્દી બોલીના મિશ્રણ સમી ‘ઉર્દૂ’ ભાષા તેનું પ્રમુખ અને જીવંત ઉદાહરણ છે. વિવિધતામાં એકતાનું સૂત્ર લઈને સતત પ્રગતિ કરતી આપણી ભાતીગળ સંસ્કૃતિના પાયામાં ભિન્નતાના સ્વીકારનો બહોળો ખ્યાલ રહેલો છે.
સદીઓથી દઢ થયેલી આ મજબૂત ભૂમિકા‘રેખ્તાફાઉન્ડેશન’પરિકલ્પના સાકાર થઈ હશે. રેખ્તા ફાઉન્ડેશનના સંસ્થાપક સંજીવ સરાફે પોતાની સાહિત્ય રુચિ અને સવિશેષ ઉર્દૂ શાયરી સાથેના ભાવનાત્મક જોડાણને મૂર્તિમંત કર્યું છે. જાણીને અચરજ થાય કે કેવી રીતે એક આઈઆઈટી એન્જિનિયર, એક સફળ ઉદ્યોગપતિ પોતાના ભાષાપ્રેમને આટલો વિકસાવી શકે છે! એટલું જ નહીં, તેને આખાય વિશ્વમાં વહેંચી શકે છે. આજે બાર વર્ષથી ‘રેખ્તા ફાઉન્ડેશન’ ઉર્દૂ ભાષા-સાહિત્યની સેવા કરી રહ્યું છે. દેશ-વિદેશમાં ‘જશ્ન-એ-રેખ્તા’ અંતર્ગત થઈ રહેલ કાર્યક્રમો દ્વારા કલાકારો અને કલારસિકોને સાહિયારો જલસો થઈ રહ્યો છે.
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 06/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ