પાત્રીસેક વરસ અગાઉ નેધરલૅન્ડ્સના એક નિવૃત્ત સજ્જન નામે બ્રાયન મુંબઈમાં આ લેખકને મળ્યા હતા. એ પછી સારા મિત્ર બની ગયા. દિવસો સુધી સાથે રહ્યા. ગુજરાતનો નકશો બતાવ્યો તો એ ખંભાતના અખાત તરફ અંગુલિનિર્દેશ કરીને બોલ્યા કે અમારે ત્યાં નેધરલૅન્ડ્સમાં આવી સામુદ્રિક સ્થિતિ હોય તો અમે તેમાં એક મોટો ડેમ બાંધી દઈએ. ત્યારે એમને ખબર ન હતી કે ગુજરાતમાં પણ કલ્પતરુ ડેમ બાંધવાની ચર્ચા હતી. એમણે પોર્ટ આલ્બર્ટ વિક્ટર વિષે પણ ચર્ચા કરી. એ કહેતા કે ભારતે દરિયાકાંઠાનો લાભ ઉઠાવ્યો નથી. વિક્ટર બંદર ઠપ થઈ ગયું હતું. અંગ્રેજોએ તેની શરૂઆત કરી ત્યાં સુધી રેલવે લાઇન નાખી હતી, પરંતુ બંદરનો એવો મોટા ગજાનો વિકાસ થયો ન હતો અને અંગ્રેજોના જવા સાથે બંદર બંધ પડી ગયું. નાનકડી નૅરોગેજ રેલ લાઇન હતી તે પણ બંધ પડી હતી. એ સ્ટેશન પરનું ગામ રહી ગયું જે વિક્ટર તરીકે ઓળખાય છે. બાજુના ચાંચ બેટ પર ભાવનગરના મહારાજાએ સુંદર રિસોર્ટ જેવો બંગલો બંધાવ્યો હતો. તેનું બાંધકામ મનભાવન હતું, પણ ૧૯૪૫-૪૬માં તેનું બાંધકામ પૂરું થયું અને તેની સાથે રાજાશાહી પણ સમાપ્ત થઈ. વરસો સુધી એ બંગલો અવાવરું પડી રહ્યો.
આજે ફરી એ બધાના ખૂબ સારા દિવસો આવ્યા છે અને તેનો યશ નિખિલભાઈ ગાંધીના સાહસિક સ્વભાવને જાય છે, જેમણે વિક્ટર અર્થાત્ પીપાવાવ બંદરનો જીર્ણોદ્ધાર કર્યો. એ કામ નેવાનાં પાણી મોભે ચડાવવા બરાબર હતું, પણ એ એમણે કર્યું. આજે નિખિલભાઈ પીપાવાવ બંદરની માલિકી ધરાવતા નથી, પણ પીપાવાવ બંદર દુનિયાના નકશામાં સ્થાન પામ્યું છે. કોલકાતાથી નાગરવેલના પાન ટ્રેનમાં લાવીને મુંબઈમાં વેચવા અને મુંબઈથી રમકડાં લઈ જઈ કોલકાતામાં વેચવા એ નિખિલ ગાંધીનો પ્રારંભનો વેપાર. ક્રમશઃ વિકાસ સાધીને પીપાવાવ બંદર નવેસરથી શરૂ કર્યું. અનેક અસહ્ય લમણાઝીંકો બાદ રિલાયન્સને બંદરના કામકાજનો અમુક હિસ્સો વેચી દીધો. નિખિલભાઈએ સહન પણ કરવું પડ્યું. એ પાનવાળા નિખિલભાઈ આજે અમેરિકાની પ્રતિષ્ઠિત વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં લેક્ચરો આપવા જાય છે, જ્યાં ભારતના ધનિક કુટુંબનાં સંતાનો ભણવા જાય છે. વ્હાર્ટન સ્કૂલમાં વોરેન બફેટ, એલન મસ્ક, સુંદર પિચાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઇવાન્ડા ટ્રમ્પ અને આપણા અનિલ અંબાણી પણ ભણ્યા છે. યાદ રહે કે મૂળ અમરેલીના નિખિલ ગાંધી કોલકાતામાં માત્ર બી.કોમ. સુધી જ ભણ્યા હતા.
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન
વાયરલ પેજ
દુઃખના દવમાં પાંચ પગલાં
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)