૩૦મી સપ્ટેમ્બરે કન્નડ ભાષામાં ‘કાંતારા’ ફિલ્મ રિલીઝ થઈ. તેને બહોળો પ્રતિસાદ મળતાં ૧૪મી ઑક્ટોબરે હિન્દીમાં કરવામાં આવી. ભારતભરમાં સફળ નીવડેલી આ ફિલ્મ કન્નડ ભાષી અભિનેતા રિષભ શેટ્ટીએ લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર પણ તેમણે જ ભજવ્યું છે. આજે આપણે આ બહુમુખી પ્રતિભાના ધણી રિષભ શેટ્ટી વિશે વાત કરવી છે. એ પહેલાં કાંતારા ફિલ્મમાં શું છે અને ફિલ્મ કેવી છે તે જોઈએ.
‘કાંતારા’માં શું છે?
કાંતારા ફિલ્મમાં રિષભ શેટ્ટીના પાત્રનું નામ શિવા છે, જેના પિતા ‘ભૂતા કોલા’ નામની એક પ્રથા કરે છે. તેમના થકી જ તેમને રાજા પાસેથી જમીન મળી હોય છે. જોકે, શિવાને તેમાં કોઈ રસ નથી હોતો. શિવા કંબાલા (ભેંસોની રેસ!)નો પાક્કો ખેલાડી છે. તે લીલા (સપ્તમી ગૌડા)ને પ્રેમ કરે છે. મા તેને વઢ્યા કરતી હોય છે. એવું થાય છે કે, આ જંગલ સાથે એકરૂપ થઈને રહેતા ગામમાં એક પોલીસ ઑફિસર આવે છે જેને અમુક પ્રશ્નો છે. બીજી બાજુ પેલા શાંતિ ખરીદીને બેઠેલા રાજાના દીકરાને પણ કંઈક તકલીફ થાય છે. આમ થતાં શિવા, રાજા અને પોલીસ ઑફિસર ટકરાય છે.
દૃશ્યકળા અને કથન મજબૂત
‘કાંતારા'ની ખરી મજા તેની સ્ટોરી ટેલિંગ(કથન)માં છે. ચળકતી ગાડીઓ 'ને ચમકતી બહુમાળી ઇમારતો વગેરે મૉડર્ન વિઝ્યુઅલ્સ વચ્ચે અહીં ભેંસો, આપણા જેવા દેખાતા નોર્મલ માણસો, ગામડાની ધૂળ, જંગલ અને પ્રાણીઓ દેખાય છે. શરૂઆતના ભેંસની રેસનાં દ્રશ્યો જ લાજવાબ ફિલ્માવાયા છે. તે રેસ જોઈ રહેલા એક વ્યક્તિના મોઢે સૂચક ડાયલૉગ છે કે, ‘દોડી! ભેંસો ખૂબ દોડી. અને મેં જોયું તો મૅડલ માણસના ગળે લટકે છે!' હજુ એક સૂચક વાત એ છે કે, ભેંસની રેસ જીતનાર વ્યક્તિને ઇનામમાં શું મળે છે? બાઇક!
આ ફિલ્મનું નિર્માણ ‘ કેજીએફ’ બનાવનારા હોમ્બાલે ફિલ્મ્સ કર્યું છે. કહ્યું એમ, ફિલ્મ દ્રશ્યાત્મક રીતે દમદાર છે. તેની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પણ નયનરમ્ય છે.
This story is from the November 26, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 26, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ