કુલદીપ યાદવનું વતન ઉત્તરાખંડનું દેહરાદૂન. પિતાને ONGCમાં નોકરી મળી એટલે તેઓ સપરિવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેવા આવ્યા. કુલદીપભાઈએ અમદાવાદમાં જ સ્નાતક સુધી અભ્યાસ કર્યા બાદ સાબરમતી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. જોકે તેમણે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરી નહીં. તેઓ ૧૯૯૧માં પાકિસ્તાન પહોંચ્યા હતા. એ વખતે તેમની ઉંમર ૨૮ વર્ષ હતી અને ૩૨ વર્ષ બાદ એટલે કે આ સપ્ટેમ્બર માસમાં ૫૯ વર્ષની ઉંમરે તેઓ વતન પરત ફર્યા છે.
તેઓ તેમના ભાઈ દિલીપ અને બહેન રેખા યાદવ સાથે અમદાવાદમાં પોતાના ઘરે આવ્યા ત્યારે ‘અભિયાન’ સાથેની વાતચીતમાં તેઓએ પોતાના જેલના અનુભવો અને પરિવારની સ્થિતિ અંગે વાત કરી હતી. અલબત્ત, તેઓ કેવી રીતે દેશની જાસૂસી સંસ્થા સાથે જોડાયા તે વિશે જણાવી શકતા નથી. તેઓ કહે છે, ‘તે માહિતી ખાનગી હોવાથી હું જાહેરમાં ન કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે, હું દેશના કામ માટે ગયો હતો. હું ૧૯૯૧માં બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચ્યો અને ભારત માટે કામ શરૂ કર્યું. ૧૯૯૪માં હું જ્યારે મારું કામ પતાવીને પરત આવતો હતો ત્યારે બોર્ડર પર પાકિસ્તાન આર્મીના હાથે પકડાઈ ગયો. અને મારી પૂછપરછ શરૂ કરવામાં આવી. એ દરમિયાન મારે અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો.’
ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા. તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. પાકિસ્તાનમાં ચાલેલા મુકદ્દમા અંગે તેઓ કહે છે, ‘મને પોતાના બચાવ માટે કેપ્ટન રેન્કનો (સિનિય૨) વકીલ પણ સરકારી ખર્ચે આપવામાં આવ્યો હતો. કેસ ચાલતા અઢી વર્ષ થયા અને ચુકાદો આવ્યો. ચુકાદામાં ત્યાંની કોર્ટે જાસૂસીના કેસમાં મને આજીવન કેદની સજા સંભળાવી. પાકિસ્તાનમાં આજીવન કેદનો અર્થ થાય છે પચીસ વર્ષ. આ સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન મને આર્મી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને મને કોર્ટમાં લઈ જવા, લાવવાનું કામ પણ આર્મીનું જ હતું. ત્યાં મને એ જ જમવાનું મળતું જે પાકિસ્તાની ફૌજીઓને મળતું હતું. આર્મીની કસ્ટડીમાં મારા જેવા ભારતીય સહિત અનેક વિદેશી આરોપી હતા, પણ ત્યાંની વ્યવસ્થા એવી હતી કે, અમે એકબીજાને જોઈ પણ શકતા નહોતા.’
This story is from the September 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન
વાયરલ પેજ
દુઃખના દવમાં પાંચ પગલાં
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
રાજકાજ
ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા
પંચામૃત
હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)