કાઠિયાવાડમાં સાતમ-આઠમ એટલે જુગારીઓની દિવાળી
ABHIYAAN|August 13, 2022
શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ‘જ્યારે-જ્યારે અધર્મ વધશે ત્યારે હું જન્મ લઈશ.’ એ જ ઈશ્વરનું અવતરણ થતું હોય ત્યારે માનવીઓ દ્વારા જુગારની બાજી ખેલાતી હોય, કેટલાક લોકો જન્માષ્ટમીને જુગારાષ્ટમી કહે એ કેવું કહેવાય? જુગારરૂપી અનિષ્ટ કાઠિયાવાડમાં તહેવાર સાથે કઈ રીતે સંકળાઈ ગયું તેની માંડીને વાત કરીએ.
ધીરુ પુરોહિત
કાઠિયાવાડમાં સાતમ-આઠમ એટલે જુગારીઓની દિવાળી

રમવું એટલે રમત રમવી, પણ જુગાર રમવું એ રમત તો નથી જ, પણ બંનેમાં એક વાત સામાન્ય છે, રમત રમતાં માણસને ખેલાડી કહેવાય અને જુગાર રમતાં માણસને પણ ખેલાડી કહેવાય! આવી આ ખેલ અને ખેલાડીની બાવન પત્તાંની રમત કૃષ્ણ જન્મ સમયે જ કાઠિયાવાડમાં ગામડેગામડે ખેલાતી રહે છે.

માણસને અધર્મના નાશનું વચન આપનારા શ્રીકૃષ્ણના જન્મદિવસ પહેલાંના કેટલાક દિવસોથી કાઠિયાવાડમાં આ રમત શરૂ થાય છે. આ બાવન પત્તાંની ગેઇમનો ચસકો પુરા કાઠિયાવાડને લાગ્યો છે. ગોકુળમાં જન્મી સૌરાષ્ટ્રના દ્વારકામાં પૂર્ણતા પામ્યા પછી સોરઠની ત્રિવેણીની ધરતીને મૃત્યુ માટે પસંદ કરનારા આ કૃષ્ણના પરમને પૂજનારા કાઠિયાવાડમાં એ જ પરમ પ્રાગટ્યના દિવસને જુગારાષ્ટમી તરીકે ખપાવનારાઓ માટે જન્માષ્ટમીના સપરમા દિવસે ઊંડાણપૂર્વક વાત કરવી પ્રાસંગિક બની રહેશે.

કાઠિયાવાડ એટલે હજારો ગામડાંઓનો સમૂહ પ્રદેશ. આવા હજારો ગામડાંના પ્રદેશમાં બહુ થોડાં ગામડાંઓ એવાં હશે કે જ્યાં સાતમ-આઠમનો જુગાર ન રમાતો હોય. શ્રાવણ માસની વદી તિથિ આઠમની રાત્રે કૃષ્ણનો જન્મ થયો એટલે તેને જન્માષ્ટમી તરીકે મનાવવામાં આવે છે, પણ આ દિવસોમાં કાઠિયાવાડમાં જુગાર એટલો રમાય કે કેટલાક લોકો આ દિવસને પૈસાની હારજીતની રમત એટલે કે જુગાર સાથે જોડી દે છે. જુગારની આ લત એ દિવસોમાં એટલી ચરમસીમાએ હોય છે કે યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠો પણ કોઈ એક મકાનમાં એકઠાં થઈ બાવન પત્તાંની રમતમાં પૈસાની હાર-જીત કરતાં બેઠાં હોય. આ જુગાર ક્યાંક ખેતરો-વાડીઓમાં રમાતો હોય, કોઈના ખાલી પ્લોટમાં રમાતો હોય.

This story is from the August 13, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 13, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

દુઃખના દવમાં પાંચ પગલાં

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ભાજપના મોવડીઓની મનમાની અને પક્ષના કાર્યકરોની હતાશા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

હિંમત એટલે અણનમ રહેવાની પ્રતિજ્ઞા

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024