હું એક આત્મા છું. આ સૃષ્ટિ ઉપર જન્મ લેનાર દરેક જીવ એક આત્મા છે. સૌ આત્માઓને એક જીવના રૂપે પરમાત્માએ બનાવ્યા છે. મનુષ્યએ સ્ત્રી અને પુરુષના રૂપે શરીર ધારણ કર્યાં છે. એ પરમાત્માએ મને પણ બનાવ્યો છે. તેણે મને જેવો પણ બનાવ્યો છે એ સચ્ચાઈની સાથે મારે મારું અસ્તિત્વ સ્વીકારવું છે. માત્ર સ્વીકારવું જ નથી બલ્કે મારે સચ્ચાઈની સાથે જીવવું પણ છે અને હું જો મારા પોતાના સત્યને સ્વીકારીને જીવવા ઇચ્છતો હોઉં તો મારા સત્યને સમજીને સૃષ્ટિના અન્ય જીવોએ પણ મારો સ્વીકાર કરવો પડશે.’
અમેરિકામાં રહેતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડિઆન્દ્રે રિચર્ડસનનું દુનિયાના દરેક વ્યક્તિને આ કહેવું છે. તેઓ આવું શા માટે કહે છે? આધ્યાત્મિક જ્ઞાનની જાણકારી ધરાવતા, માનવતાવાદી વિચારો સાથે જોડાયેલા અને પ્રેમમાં વિશ્વાસ ધરાવનાર તેઓ સુશિક્ષિત અને સમજદાર વ્યક્તિ છે. આમ છતાં એવી કઈ વાત છે જે તેમની ભાવનાઓને સમજ્યા વિના તેમની સાથે જોડાયેલ એ સત્યનો સ્વીકાર નથી કરી રહી. જે માટે તેમણે અન્ય દેશોની માફક ભારત સરકાર પાસે પણ ચાયની અપેક્ષા રા જે તેમની સાથે જોડાયેલા સત્યને સ્વીકારે. તેમની આ જ વાતને સમજવા માટે ‘અભિયાને’ અમેરિકામાં તેમનો સંપર્ક કર્યો. ડિઆન્દ્રે રિચર્ડસન અને તેમના પતિ એટલે ગુજરાતના રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે વાત કરીને તેમની ભાવનાઓ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો.
તેઓ એક સમલૈંગિક દંપતી છે જેમાં પુરુષ અને પુરુષ વચ્ચે લગ્ન થતાં હોય છે. આવા દંપતી એકબીજાના પરિચય પતિના રૂપે આપતા હોય છે. ભારતમાં આ પ્રકારનાં લગ્નને માન્યતા નથી, પરંતુ અમેરિકામાં સમલૈંગિક યુગલને લગ્ન કરવાની છૂટ છે. ૬ જુલાઈ, ૨૦૧૩ના દિવસે ડિઆન્દ્રે રિચર્ડસન અને માનવેન્દ્રસિંહનાં લગ્ન થયાં હતાં. આ ૬ જુલાઈએ એમનાં લગ્નને નવ વર્ષ પુરાં થયાં. લગ્નની આ વર્ષગાંઠ ઊજવવા તેઓ દુનિયાને સંદેશ આપવા ઇચ્છતા હતા કે અમને પણ અમારા અસ્તિત્વ સાથે જીવવાની ઇચ્છા છે. અમે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને પુરુષ હોવા છતાં પણ એકબીજાના જીવનસાથી છીએ. અમે આ સંબંધને જીવન પર નિભાવવા માગીએ છીએ. પોતાની ભાવનાઓને આ દંપતીએ સોશિયલ મીડિયા મારફતે વ્યક્ત કરી ત્યારે દુનિયાના અનેક લોકો ચકિત થઈ ગયા. અનેકને એ વિકૃતિ લાગી તો કોઈએ એમના પ્રત્યે નફરત કરી, તો કોઈએ એમને સહકાર પણ આપ્યો.
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ