‘અમારા લગ્નને માન્યતા મળશે તો ભારતમાં સ્થાયી થઈશું!'
ABHIYAAN|August 13, 2022
ભારતમાં સમલૈંગિક સંબંધ ગુનો નથી, પણ સમલૈંગિકોનાં લગ્નને હજી સુધી કાયદાકીય માન્યતા આપવામાં આવી નથી. એ કારણે આવા યુગલોને નાછૂટકે અન્ય દેશમાં વસવાટ કરવો પડે છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ આવા જ એક પીડિત છે. વતનમાં સ્વજનો વચ્ચે પોતાના જીવનસાથી સાથે સ્વમાનભેર જીવવાના તેમને પણ કોડ છે, પણ કાયદામાં ક્યારે સુધાર આવશે એની તેઓ વાટ જોઈ રહ્યા છે.
લતિકા સુમન
‘અમારા લગ્નને માન્યતા મળશે તો ભારતમાં સ્થાયી થઈશું!'

હું એક આત્મા છું. આ સૃષ્ટિ ઉપર જન્મ લેનાર દરેક જીવ એક આત્મા છે. સૌ આત્માઓને એક જીવના રૂપે પરમાત્માએ બનાવ્યા છે. મનુષ્યએ સ્ત્રી અને પુરુષના રૂપે શરીર ધારણ કર્યાં છે. એ પરમાત્માએ મને પણ બનાવ્યો છે. તેણે મને જેવો પણ બનાવ્યો છે એ સચ્ચાઈની સાથે મારે મારું અસ્તિત્વ સ્વીકારવું છે. માત્ર સ્વીકારવું જ નથી બલ્કે મારે સચ્ચાઈની સાથે જીવવું પણ છે અને હું જો મારા પોતાના સત્યને સ્વીકારીને જીવવા ઇચ્છતો હોઉં તો મારા સત્યને સમજીને સૃષ્ટિના અન્ય જીવોએ પણ મારો સ્વીકાર કરવો પડશે.’

અમેરિકામાં રહેતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડિઆન્દ્રે રિચર્ડસનનું દુનિયાના દરેક વ્યક્તિને આ કહેવું છે. તેઓ આવું શા માટે કહે છે? આધ્યાત્મિક જ્ઞાનની જાણકારી ધરાવતા, માનવતાવાદી વિચારો સાથે જોડાયેલા અને પ્રેમમાં વિશ્વાસ ધરાવનાર તેઓ સુશિક્ષિત અને સમજદાર વ્યક્તિ છે. આમ છતાં એવી કઈ વાત છે જે તેમની ભાવનાઓને સમજ્યા વિના તેમની સાથે જોડાયેલ એ સત્યનો સ્વીકાર નથી કરી રહી. જે માટે તેમણે અન્ય દેશોની માફક ભારત સરકાર પાસે પણ ચાયની અપેક્ષા રા જે તેમની સાથે જોડાયેલા સત્યને સ્વીકારે. તેમની આ જ વાતને સમજવા માટે ‘અભિયાને’ અમેરિકામાં તેમનો સંપર્ક કર્યો. ડિઆન્દ્રે રિચર્ડસન અને તેમના પતિ એટલે ગુજરાતના રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે વાત કરીને તેમની ભાવનાઓ વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો.

તેઓ એક સમલૈંગિક દંપતી છે જેમાં પુરુષ અને પુરુષ વચ્ચે લગ્ન થતાં હોય છે. આવા દંપતી એકબીજાના પરિચય પતિના રૂપે આપતા હોય છે. ભારતમાં આ પ્રકારનાં લગ્નને માન્યતા નથી, પરંતુ અમેરિકામાં સમલૈંગિક યુગલને લગ્ન કરવાની છૂટ છે. ૬ જુલાઈ, ૨૦૧૩ના દિવસે ડિઆન્દ્રે રિચર્ડસન અને માનવેન્દ્રસિંહનાં લગ્ન થયાં હતાં. આ ૬ જુલાઈએ એમનાં લગ્નને નવ વર્ષ પુરાં થયાં. લગ્નની આ વર્ષગાંઠ ઊજવવા તેઓ દુનિયાને સંદેશ આપવા ઇચ્છતા હતા કે અમને પણ અમારા અસ્તિત્વ સાથે જીવવાની ઇચ્છા છે. અમે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને પુરુષ હોવા છતાં પણ એકબીજાના જીવનસાથી છીએ. અમે આ સંબંધને જીવન પર નિભાવવા માગીએ છીએ. પોતાની ભાવનાઓને આ દંપતીએ સોશિયલ મીડિયા મારફતે વ્યક્ત કરી ત્યારે દુનિયાના અનેક લોકો ચકિત થઈ ગયા. અનેકને એ વિકૃતિ લાગી તો કોઈએ એમના પ્રત્યે નફરત કરી, તો કોઈએ એમને સહકાર પણ આપ્યો.

This story is from the August 13, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 13, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 mins  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/05/2024