Prøve GULL - Gratis
મુક્ત-મન કે મન-મુક્ત?
ABHIYAAN
|Abhiyaan Magazine 25/10/2025
પશ્ચિમ જેને મુક્ત-મનનો સિદ્ધાંત કહે છે તે પ્રત્યક્ષ રીતે મનને ગુડ અને રાઇટ હોવાની ફિલ આપે છે. મને મારો અધિકાર મળે છે અને મારા સ્વપ્નનું મૂલ્ય છે, એવો આભાસ આપે છે. ના, એકચ્યુઅલ એક્સપિરિયન્સ નહીં.
હું પૂર્ણ પૂર્ણ હોશમાં અને બહારના કોઈ દબાણ વિના તથા કેફી દ્રવ્યની અસર વિના લખી આપું છું, એવા અમુક હુંકાર સાથે તમુક સ્વાધીનતા સિદ્ધ કરતાં લખાણ વિલ કે અન્ય કાયદેસરના દસ્તાવેજમાં વપરાય છે.
મનુષ્યએ જાતે સ્વયં નક્કી કરી દીધું છે કે અમે કશુંક છીએ. તેથી વિશેષ અમે સંભવતઃ સ્વતંત્ર છીએ. અમે ચાવી આપેલાં રમકડાં નથી. અમારા મગજ પ્રિપ્રોગ્રામ્સ કોમ્પ્યુટર કે એ.આઈ. જેવા નથી, અમારું મન મધ્યસ્થી કરી ન્યાય આપી શકે છે કે, શું કરવું તથા શું ના કરવું. એમ નિર્ધારિત કરી આધુનિક સમાજ બાળકને એવી માનસિકતા સાથે ઉછેરે છે કે, પ્રત્યેક વ્યક્તિ પોતાનું ધારેલું કરી શકે છે. વિધાર્થીને શિક્ષણ આપવામાં આવે છે કે, તું જેવો નિર્ણય લઈશ એવું તું કરી શકીશ. આ પ્રકારનાં વિચાર, લાગણી કે સિદ્ધાંત સૂચવતું એક સામાન્ય શીર્ષક છે, ફ્રી-વિલ. ઓવરઓલ, મુક્ત-મન પશ્ચિમની વિભાવના છે. કહેવાય છે કે, ફ્લિોસોફ્ટ મુક્ત રીતે ચિંતન કરે છે. ટુ થિન્ક કે ટુ વિશ કરતાં ટુ ડુ કે ૩ એક્ટ જુદું પડે, એ સૌને જાણ છે. અલ્લામા ઇકબાલનો એક શેર યાદ આવે છે, ‘ખુદી કો કર બુલંદ ઇતના, કી હર તકદીર સે પહેલે, ખુદા બંદે સે પૂછે કે બતા તેરી રઝા ક્યા હૈ..' હિંમતે મર્દા તો મદદે ખુદા, જેવી કહેણી એક શોધો તો હજાર મળી જાય એમાં ય મોટિવેશનલ અને રેશનલ વગેરે પ્રકારના હુંકારથી બજાર ધમધમે છે. વ્યસ્ત વેસ્ટમાં ફ્રી-વિલનો કન્સેપ્ટ ખૂબ પ્રભાવી છે, તેના એક કારણમાં ક્રિશ્ચિયાનિટી ખરી. જીવ અને સેક્યુલર વગેરે ટાઇટલ હેઠળ એક કે બીજી રીતે પાવરમાં રહેતા અતિધનિક સર્કલ ચીનમાં પણ અસર પાડતા રહ્યા છે. ચીનની સૌથી વધુ લોકપ્રિય ચેનલમાંની એક હુનાન પર ૨૦૨૩માં ‘ વ્હેન માર્ક્સ મેટ કન્ફ્યુશિયસ' નામની એક શ્રેણી રજૂ થયેલી. પાંચ એપિસોડમાં, ‘માર્ક્સ' અને ‘કન્ફ્યુશિયસ' રાજકારણની પ્રકૃતિ વિશે ચર્ચા કરે છે, તથાપિ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચે છે કે કન્ફ્યુશિયનિઝમ અને માર્ક્સવાદ સુસંગત છે, કે પછી એવું અદ્ધર છોડ્યું છે કે, માર્ક્સ અજાણતા કન્ફ્યુશિયન વિચારધારામાંથી તેના સિદ્ધાંતો લીધા હશે. શું સમજ્યા? દેશ અને સમાજ જ મુખ્ય છે, ધર્મ કે ભગવાન નહીં. કોઈ ગરબડ થાય તો તે સરકારની નહીં, તમે કરો તે જ ખોટું. એવા વીએફએક્સ પામેલા અહંકારને એનિમેટેડ પોષણ આપવા તેવા કાર્યક્રમ થતાં હોય છે.
Denne historien er fra Abhiyaan Magazine 25/10/2025-utgaven av ABHIYAAN.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA ABHIYAAN
ABHIYAAN
તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?
અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ
અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
એમેઝોન નદી પર એક પણ પુલ નથી
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!
સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!
3 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
ધરપકડ
'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પ્રવાસન
લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
નીરખને ગગનમાં...
રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા
7 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
એક અહિંસક ‘ગન’-લગન!
તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે
દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.
5 mins
SambhaavMETRO 16-05-2026
Listen
Translate
Change font size
