試す 金 - 無料
મંદિર તો સોમપુરા હી બનાયેંગે...
Chitralekha Gujarati
|January 29, 2024
બાવીસ જાન્યુઆરીએ નિર્માણાધીન રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને હવે અયોધ્યામાં રામજન્મભૂમિ ના સ્થાન પર જ મંદિરનર્માણથી દેશવાસીઓમાં અનહદ ખુશી વ્યાપી ગઈ છે. ઉત્તર પ્રદેશવાસીઓનો ઉત્સાહ તો સાતમા આકાશે છે. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે અમદાવાદના જાણીતા મંદિર સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ આ મંદિરની ડિઝાઈન બનાવી છે.એમના બે પુત્રો પણ આ રામકાજમાં પિતાને સહાય કરી રહ્યા છે. મંદિર સ્થાપત્યનો પેઢીઓનો વારસો ધરાવતા સોમપુરાપરિવારનાં નામ-કામને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે એ ચોક્કસ.

આવાત છે ૧૯૯૦ની. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન અધ્યક્ષ દિવંગત અશોક સિંઘલ અને એક ઉદ્યોગપતિ વચ્ચે વાત થઈ રહી હતી. અશોકજી એમને પૂછી રહ્યા હતાઃ ‘તમારી ફૅક્ટરીમાં ખૂબ સુંદર મંદિરો છે. કોની પાસે બનાવડાવ્યાં?’
આ પ્રમાણે બની રહ્યું છે નાાગરશૈલીનું અયોધ્યાનું રામમંદિર.
‘અમદાવાદના ચંદ્રકાંત સોમપુરા પાસે.’ ‘એમને એકાદ વખત દિલ્હી મળવા મોકલો. રામમંદિર બનાવવા પૂછી જોઈએ.’ ચંદ્રકાંત સોમપુરા એટલે દેશ-વિદેશમાં જાણીતા ટેમ્પલ આર્કિટેક્ટ. એમના દાદા પદ્મશ્રી સ્વર્ગીય પ્રભાશંકર સોમપુરાએ ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથરામાં મંદિર બાંધ્યું હતું. ૧૯૫૦ના દાયકામાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ એમના થકી થયેલો. મંદિરનિર્માણનો ત્રણ પેઢીનો વારસો ધરાવતા ચંદ્રકાંત સોમપુરાએ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, પાલિતાણા, શંખેશ્વર, અક્ષરધામ, વગેરે મંદિરો તથા વિદેશમાં પણ અમુક મંદિરોની ડિઝાઈન કરી છે.
ચંદ્રકાંત સોમપુરા પછીના દિવસોમાં સિંઘલજીને મળવા દિલ્હી ગયા. સિંઘલજી અયોધ્યામાં રામજન્મભૂમિ પર જ ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા કટિબદ્ધ હતા એટલે ચંદ્રકાંતભાઈને એ અયોધ્યા લઈ ગયા, પણ એ વખતે ત્યાં પોલીસછાવણી હતી. અંદર એકલા અને કશું સાથે લીધા વિના જવાનું હતું. જો કે ચંદ્રકાંતભાઈએ કોઠાસૂઝ વાપરીને ધીરે ધીરે ચાલીને પગલાંથી અંદાજિત માપ લીધું. પછી બહાર આવીને માપ નોંધી લીધું. અમદાવાદ આવીને ત્રણેક મહિનાની મહેનતથી શિલ્પશાસ્ત્રો ના આધારે રામમંદિર માટેની ત્રણ બ્લુ પ્રિન્ટ બનાવી. એમાંથી એક ડિઝાઈન અશોક સિંઘલ અને સંતો-મહંતોએ સર્વાનુમતે પસંદ કરી. એ સૂચિત મંદિરના મોડેલને ૧૯૯૨માં યોજાયેલા કુંભમેળામાં સાધુ-સંતોએ સંમતિ આપી. (ચિત્રલેખાઃ ૨૯ જૂન, ૧૯૯૮).
મૂળ પ્લાન મુજબ અંદાજે ૨.૭૭ એકર વિસ્તારમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોથી ૨૭૦ ફૂટ લાંબું, ૧૪૫ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું પૂર્વાભિમુખ અષ્ટકોણીય રામમંદિર બનવાનું હતું. ફરતે શ્રીરામનગરી, બે મંડપ, ચાર થીમ બેઝ્ડ પ્રવેશદ્વાર, કળાત્મક સ્તંભો, વગેરે બનાવવાનાં હતાં.
このストーリーは、Chitralekha Gujarati の January 29, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size