આવાત છે ૧૯૯૦ની. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન અધ્યક્ષ દિવંગત અશોક સિંઘલ અને એક ઉદ્યોગપતિ વચ્ચે વાત થઈ રહી હતી. અશોકજી એમને પૂછી રહ્યા હતાઃ ‘તમારી ફૅક્ટરીમાં ખૂબ સુંદર મંદિરો છે. કોની પાસે બનાવડાવ્યાં?’
આ પ્રમાણે બની રહ્યું છે નાાગરશૈલીનું અયોધ્યાનું રામમંદિર.
‘અમદાવાદના ચંદ્રકાંત સોમપુરા પાસે.’ ‘એમને એકાદ વખત દિલ્હી મળવા મોકલો. રામમંદિર બનાવવા પૂછી જોઈએ.’ ચંદ્રકાંત સોમપુરા એટલે દેશ-વિદેશમાં જાણીતા ટેમ્પલ આર્કિટેક્ટ. એમના દાદા પદ્મશ્રી સ્વર્ગીય પ્રભાશંકર સોમપુરાએ ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથરામાં મંદિર બાંધ્યું હતું. ૧૯૫૦ના દાયકામાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ એમના થકી થયેલો. મંદિરનિર્માણનો ત્રણ પેઢીનો વારસો ધરાવતા ચંદ્રકાંત સોમપુરાએ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, પાલિતાણા, શંખેશ્વર, અક્ષરધામ, વગેરે મંદિરો તથા વિદેશમાં પણ અમુક મંદિરોની ડિઝાઈન કરી છે.
ચંદ્રકાંત સોમપુરા પછીના દિવસોમાં સિંઘલજીને મળવા દિલ્હી ગયા. સિંઘલજી અયોધ્યામાં રામજન્મભૂમિ પર જ ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા કટિબદ્ધ હતા એટલે ચંદ્રકાંતભાઈને એ અયોધ્યા લઈ ગયા, પણ એ વખતે ત્યાં પોલીસછાવણી હતી. અંદર એકલા અને કશું સાથે લીધા વિના જવાનું હતું. જો કે ચંદ્રકાંતભાઈએ કોઠાસૂઝ વાપરીને ધીરે ધીરે ચાલીને પગલાંથી અંદાજિત માપ લીધું. પછી બહાર આવીને માપ નોંધી લીધું. અમદાવાદ આવીને ત્રણેક મહિનાની મહેનતથી શિલ્પશાસ્ત્રો ના આધારે રામમંદિર માટેની ત્રણ બ્લુ પ્રિન્ટ બનાવી. એમાંથી એક ડિઝાઈન અશોક સિંઘલ અને સંતો-મહંતોએ સર્વાનુમતે પસંદ કરી. એ સૂચિત મંદિરના મોડેલને ૧૯૯૨માં યોજાયેલા કુંભમેળામાં સાધુ-સંતોએ સંમતિ આપી. (ચિત્રલેખાઃ ૨૯ જૂન, ૧૯૯૮).
મૂળ પ્લાન મુજબ અંદાજે ૨.૭૭ એકર વિસ્તારમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોથી ૨૭૦ ફૂટ લાંબું, ૧૪૫ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું પૂર્વાભિમુખ અષ્ટકોણીય રામમંદિર બનવાનું હતું. ફરતે શ્રીરામનગરી, બે મંડપ, ચાર થીમ બેઝ્ડ પ્રવેશદ્વાર, કળાત્મક સ્તંભો, વગેરે બનાવવાનાં હતાં.
Diese Geschichte stammt aus der January 29, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der January 29, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.