૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ જન્મેલા ૨૮ ધીરુભાઈ હીરાચંદ અંબાણી ૨૦૦૭ની ૨૮ ડિસેમ્બરે અમૃત મહોત્સવ વર્ષ એટલે કે આયુષ્યના ૭૫મા વર્ષમાં પ્રવેશ્યા હોત. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ જેવા નાના કસબામાં એક અકિંચન શિક્ષકના માંડ મૅટ્રિક સુધી ભણેલા પુત્ર એવા ધીરુભાઈ દુનિયાભરના શિક્ષાર્થીઓ અને શિક્ષિતો ઉપરાંત શિક્ષકો માટે પણ એક વિશિષ્ટ અભ્યાસક્રમ બની રહે એવું જીવન જીવી ગયા. એક એવું ભરપૂર જીવન, એવું ધબકતું જીવન, એવું સતત જિવાતું જીવન, એવું પામવાનું અને એવું પમાડવાનું જીવન, જેનો તાજેતરના ઈતિહાસમાં કોઈ જોટો જડે એમ નથી...
વેલ, આ તો વર્ષ ૨૦૦૭માં લખાયેલા એક લેખના અંશો છે. આજે જો ધીરુભાઈ હયાત હોત તો ૯૧ વર્ષના હોત, પરંતુ એમના દેહાવસાનને બે દાયકા વીતી ગયા હોવા છતાં ગુજરાતીઓનાં અને ભારતીયોનાં માનસ માં એ વ્યક્તિત્વ હજુ જીવંત છે. ભારતીય ઉદ્યોગજગતમાં પૉલિયેસ્ટર કિંગ, પેટ્રોરસાયણોના પ્રણેતા, રિફાઈનરીઓના રાજા તરીકે જાણીતા અને ખાસ કરીને ગુજરાતી રોકાણકારો માટે તો શૅરબજારના સમ્રાટ એવા ધીરુભાઈ અંબાણીને આમ તો ઉદ્યોગજગતના વિવિધ ફોરમમાં આદર પૂર્વક યાદ કરાય જ છે, પણ એમની જન્મતિથિ, ૨૮ ડિસેમ્બર અને પુણ્યતિથિ, છ જુલાઈના રોજ એક વ્યક્તિ એમને અચૂક એટલે અચૂક યાદ કરે છે. એ છે પરિમલ નથવાણી.
この記事は Chitralekha Gujarati の January 01, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の January 01, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.