試す 金 - 無料
ચિત્તાનીય ચિંતા કરવી પડશે..
Chitralekha Gujarati
|August 21, 2023
આફ્રિકાથી આપણે ચિત્તા તો લાવ્યા, પણ એ બધા એક પછી એક મરણને શરણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૦ ટકા ચિત્તા મૃત્યુ પામ્યા છે. દુનિયાના આ સૌથી ઝડપી જાનવરને સાચવવામાં આપણે ક્યાં ગોથું ખાઈ ગયા છીએ? આવો, સમજીએ.

ડિયર નૅચર,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગયા જન્મદિને એટલે કે સપ્ટેમ્બર, ૨૦૨૨માં નામિબિયાથી આવેલા આઠ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં છોડવામાં આવ્યા. મોદીજી પોતે ત્યારે ઉપસ્થિત રહ્યા અને એમણે ચિત્તાનાં દર્શન કર્યાં એ તસવીરો અને વિડિયો જોઈ આખો દેશ ઉત્સાહિત થયો. આખરે તો જે દેશમાં એક સમયે હજારો ચિત્તા હતા અને ૧૯૫૦ના દાયકામાં સમ ખાવા પૂરતો એકેય ચિત્તો રહ્યો નહીં ત્યારે આપણે જ આ પ્રાણીને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દીધું. એ પછી એટલે કે ૭૧ વર્ષ બાદ ચિત્તા ભારતમાં જોવા મળવાના હોય એનો હરખ તો હોય જ.
જો કે એ હરખ એક વર્ષ પૂરું થયું નથી ત્યાં શોકમાં બદલાવા લાગ્યો છે, કારણ કે જેટલા ચિત્તા આપણે કરોડોના ખર્ચે ભારતમાં લાવ્યા એમાંના ૩૦ ટકા મૃત્યુ પામ્યા છે.
આજની પેઢીને કદાચ ખબર નહીં હોય કે ભારતમાં એક સમયે ચિત્તાઓની સંખ્યા ખાસ્સી હતી, એને એશિયાટિક ચિત્તા તરીકે ઓળખવામાં આવતા અને રાજા-મહારાજા એનો શિકાર કરતા. જે સફળ થાય એ સારા શિકારી ગણાય, કારણ કે આ ઝડપી જાનવરનો શિકાર કરવો એ આસાન નથી હોતો. એમ તો મુગલ રાજાઓ ચિત્તા પાળતા પણ ખરા. બીજા પશુના શિકાર માટે ચિત્તાનો ઉપયોગ થતો. યુદ્ધ થાય ત્યારે દુશ્મનની સેના પર પણ એ ચિત્તા છોડવામાં આવતા. જાણીતા ફિલ્મસર્જક રાજામૌલીની આરઆરઆરમાં આવું એક દશ્ય હતું, જે બહુ વખણાયું હતું. કહે છે કે ભારતમાં છેલ્લે ૧૯૪૭માં છત્તીસગઢના રાજા રામાનુજ પ્રતાપસિંહ દેવે એકસાથે ત્રણ ચિત્તાનો શિકાર સાથે ત્રણ પિતાનો શિકાર કર્યો હતો. ૧૯૫૨નું વર્ષ આવતાં આવતાં તો ભારતમાંથી ચિત્તા અલોપ થઈ ગયાનું વિધિવત્ ઘોષિત થઈ ગયું. હવે આખી દુનિયામાં એશિયાટિક ચિત્તા માત્ર ઈરાનમાં બચ્યા છે અને ત્યાં પણ એની સંખ્યા સોથી ઓછી છે.
ભારતે પહેલાં તો ઈરાન પાસેથી જ ચિત્તા માગ્યા હતા, પણ હા, ના.. હા, ના.. કરતા ઈરાને ભારતને ચિત્તા આપ્યા નહીં. જો કે છેવટે કામ બની ગયું. ભારતે નામિબિયા પાસેથી આઠ ચિત્તા મેળવ્યા અને પછી દક્ષિણ આફ્રિકાથી પણ ચિત્તા આવ્યા. કુલ ૨૦ આવ્યા અને ચાર બચ્ચાંનું અહીં અવતરણ થયું. કુલ ચોવીસમાંથી અત્યાર સુધીમાં નવ મૃત્યુ પામ્યા છે.
このストーリーは、Chitralekha Gujarati の August 21, 2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size