試す 金 - 無料
વિશ્વનું સૌથી જૂનું માનવસર્જિત બંદરગાહ લોથલ ફરી થઈ રહ્યું છે જીવંત
Chitralekha Gujarati
|July 24, 2023
હડપ્પા સંસ્કૃતિ સમયના એક મહત્ત્વના વ્યાપારી કેન્દ્ર સમા લોથલ બંદરમાં બની રહેલું દેશનું પ્રથમ અને વિશ્વનું સૌથી મોટું ‘નૅશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ’ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાંના ઈતિહાસ અને ગૌરવને કરશે ઉજાગર.

ધોલેરાથી થોડે દૂર સરગવાડા ગામે અત્યારે ધમાધમી છે. નવા રસ્તા બની રહ્યા છે, પાણીની પાઈપલાઈન નખાઈ રહી છે, પાવર ટ્રાન્સમિશનની લાઈનનું કામ પણ ચાલુ છે.
ધોલેરા નામ પડે એટલે બધાની આંખ સામે ગુજરાતના સૂચિત સ્માર્ટ સિટીનું દશ્ય આવી જાય, પણ ના, અહીં એ ભવિષ્યના શહેરી આયોજનની વાત કરવી નથી. અહીં તો દેશના ભવ્ય ભૂતકાળનો ઈતિહાસ નવેસરથી ઉજાગર કરનારી ઘટનાની વાત છે.
આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે ગુજરાતના એક ખૂણે માત્ર સ્માર્ટ નહીં, પરંતુ એ જમાનાના હિસાબે સ્માર્ટેસ્ટ કહી શકાય એવું એક પોર્ટ સિટી હતું. એ સમયે અહીં ૨૬થી વધુ દેશો સાથે વ્યાપાર ચાલતો. વિશ્વના સૌથી જૂના માનવસર્જિત ડૉકયાર્ડ એટલે કે બંદરગાહ એવું આ શહેર પોતાની ભવ્ય અસ્મિતા સાથે પુનઃ જીવિત થઈ રહ્યું છે. આ શહેર એટલે લોથલ. ભારત એક સમયે જેની માટે જગજાણીતું હતું એ એના સમુદ્રી વેપારવારસાની સ્મૃતિ તાજી કરતું નૅશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમ અત્યારે લોથલમાં આકાર લઈ રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના આ સૌથી જૂના માનવસર્જિત બંદરગાહ અને સદીઓ પહેલાંની પ્રજાના હુન્નરને લોકો સામે મૂકવાનો વિચાર આવ્યો. આ વિચારને આધારે અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર ધોળકા તાલુકામાં આવેલા લોથલ ખાતે દેશનું આ પ્રથમ નૅશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે.
このストーリーは、Chitralekha Gujarati の July 24, 2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size