試す 金 - 無料
લવ જિહાદનો વિવાદ એટલે ભારેલો અગ્નિ..
Chitralekha Gujarati
|May 15, 2023
એક ફિલ્મને કારણે ફરી એક વાર હિંદુ-મુસ્લિમો સામસામે આવી ગયા છે. આ વખતે ખ્રિસ્તી સમાજ પણ ઘસડાયો છે. આ વિવાદમાં રાજકીય પક્ષો તો એમની રોટલી શેકીને જતા રહેશે, પણ કેરળની પ્રજાએ કથિત લવ જિહાદની ભ્રમણા અથવા તો વાસ્તવિકતા સુધી પહોંચીને એ રોગનાં મૂળને જડથી ઉખાડવાં જરૂરી છે.

એ મને (શાસક કોંગ્રેસ અને સાથી પક્ષો) વીસ વર્ષમાં કેરળને મુસ્લિમ બહુમતીનું રાજ્ય બનાવી દેવું છે. લોકોને ઈસ્લામમાં કન્વર્ટ કરવા માટે પૈસો ખર્ચવા ઉપરાંત બીજા રસ્તાઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. એમને (મુસ્લિમોને) હિંદુ છોકરીઓ સાથે પરણવા સમજાવવામાં આવે છે.
આ શબ્દો ભાજપ કે આરએસએસના કોઈ નેતાના નહીં, પણ બિનસાંપ્રદાયિક ગણાતા માર્ક્સવાદી પક્ષ (સીપીઆઈ-એમ)ના વરિષ્ઠ નેતા અને માજી મુખ્ય પ્રધાન વીએસ અચ્યુતાનંદનના છે, જેમણે ૨૦૧૦માં એક ઈન્ટરવ્યૂમાં કથિત લવ જિહાદ સામે બાંયો ચડાવી હતી.
એ અગાઉ ૯ ડિસેમ્બર, ૨૦૦૯ના દિવસે એક કેસના ચુકાદામાં ખુદ કેરળ હાઈ કોર્ટે રોમિયો જિહાદના સમાનાર્થી તરીકે લવ જિહાદ શબ્દનો પ્રયોગ કર્યો હતો. એ ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે મુસ્લિમ છોકરાઓ બનાવટથી બિનમુસ્લિમ છોકરીને પ્રેમમાં પાડીને પછી એનું ધર્માંતરણ કરાવવાના પ્રયત્ન કરે છે. આવા સમાન કેસ આખા કેરળમાં બન્યા હોવાનું જણાય છે.
અરે, ૨૦૧૨માં કોંગ્રેસના સિનિયર નેતા અને કેરળના તત્કાલીન ચીફ મિનિસ્ટર ઓમેન ચાન્ડીએ પણ વિધાનસભામાં લેખિત જવાબ આપતાં કહ્યું હતું કે રાજ્યમાં ૨૦૦૬થી ૨૦૧૨ સુધી ૨૬૬૭ મહિલા સહિત ૭૭૧૩ લોકોએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. આની સામે ૨૮૦૩ વિધર્મીએ હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૨ વચ્ચે ૨૧૯૫ હિંદુ અને ૪૯૨ ખ્રિસ્તી મહિલાએ ઈસ્લામ સ્વીકાર્યો હતો, એની સામે ખ્રિસ્તીમાં વટલાયેલી મહિલાની સંખ્યા ૭૯ અને હિંદુ થનારી મહિલા ફક્ત બે હતી.
જાણકારો કહે છે કે ૧૯૮૦ના દાયકામાં કેરળથી ગલ્ફમાં નોકરીએ જવાનું ચલણ વધ્યું ત્યારે સ્થાનિક મુસ્લિમો ઉગ્રપંથી ઈસ્લામના સંપર્કમાં આવ્યા. એમણે કેરળ પાછા આવીને એનો પ્રચાર કર્યો. કેરળ પોલીસના ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં લખેલું કે ૨૦૧૧થી ૨૦૧૫ વચ્ચે કોઝીકોડ અને મામલાપુરમનાં બે ધાર્મિક સ્થાનકોમાં ૫૭૯૩ લોકોને મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા, એમાં ૪૭૧૯ હિંદુ અને બાકીના ખ્રિસ્તી હતા. કન્વર્ટ થયેલામાં અડધી સંખ્યા મહિલાની હતી અને એમાંથી ૭૬ ટકા મહિલા ૩૫ વર્ષથી ઓછી વયની હતી!
このストーリーは、Chitralekha Gujarati の May 15, 2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size