જુઓ, અકબરના જમાનામાં ભારતમાં ૧૦,૦૦૦ ચિત્તા હતા. રાજા-મહારાજા ચિત્તાનો ઉપયોગ હરણ જેવાં પ્રાણીનો શિકાર કરવામાં કરતા. ચિત્તાઓને એ માટે કેળવવામાં આવતા. વખત જતાં શિકારશોખીનોએ ખુદ ચિત્તાના શિકાર કરવાનું શરૂ કર્યું, એ શૌર્યની વાત ગણાતી. ૧૯૪૭માં મધ્ય પ્રદેશમાં એક રાજાએ ભારતના ત્રણ અંતિમ ચિત્તા મારી નાખ્યા. ભારતમાંથી એશિયાટિક ચિત્તાનું આ રીતે નિકંદન નીકળ્યા પછી ૧૯૫૨માં ઈરાનથી ચિત્તા લાવવાનો પ્રયત્ન થયેલો. એ વખતે કહેવામાં આવ્યું હતું કે ઈરાનમાં ૨૦ ચિત્તા શેષ છે, પણ પછી ખબર પડી કે આઠ જ હતા.
ડૉ. પ્રજ્ઞા ગિરડકરને ચિત્તા વિશે બોલવાનું કહીએ તો એ ખૂબ ઉત્સાહપૂર્વક, કહો કે ચિત્તાની ઝડપે બોલતાં જ રહે. ભારતના ટોચનાં વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનિસ્ટ એવાં પ્રજ્ઞા ગિરડકર વિશે જાણતાં પહેલાં આફ્રિકાનાં જંગલોમાંથી ભારતમાં ચિત્તા લાવવાના પ્રોજેક્ટ વિશે પ્રજ્ઞાજીના શબ્દોમાં જ જાણી લઈએ.
ચિત્તા કન્ઝર્વેશન ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોરી માર્કરના મતે આફ્રિકામાં ૭૫૦૦ કરતાં વધારે ચિત્તા છે. લોરી માર્કરે ૨૦૦૯-૨૦૧૧ વચ્ચે ભારતની અનેક ખેપ કરીને ત્રણેક સાઈટનો સર્વે કરેલો, જેમાં આફ્રિકન ચિત્તાને વસાવી શકાય. છેવટે મધ્ય પ્રદેશનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પસંદ કરવામાં આવ્યું.
૨૦૧૧માં આ જ લોરી માર્કરે કન્ઝર્વેશનની તાલીમ માટે ભારતમાંથી મને એકલીને પસંદ કરીને સ્કૉલરશિપ આપી. મેં એક મહિનો નામીબિયાનાં જંગલમાં રહીને ચિત્તાની ફિઝિયોલૉજી, ઓનોટોમી, રસીકરણ, સારવાર, હેલ્થ મોનિટરિંગની તમામ પ્રકારની તાલીમ લીધી.
この記事は Chitralekha Gujarati の October 10, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の October 10, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કોણ છે કરાચીની આ વડા-પાંઉ ગર્લ?
સોશિયલ મિડિયામાં અત્યારે એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં પાકિસ્તાનની ગલીમાં સ્વાદપ્રેમી લોકો હિંદુસ્તાની ફડની લિજ્જત માણતાં દેખાય છે. ચાલો માણીએ, કરાચીવાસીઓની જીભે ઈન્ડિયન સ્ટ્રીટ ફડનો સ્વાદ વળગાડનારી મૂળ મોરબીની યુવતી સાથે એની સ્વાદસફર.
વહેલ શાર્ક માટે સૌરાષ્ટ્રનો દરિયો બન્યો છે પિયર
ખારાં પાણીમાં મીઠી વીરડી આઠ જૂન એટલે ‘વર્લ્ડ ઑશન ડે.’ દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે જુદા જુદા સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે, એમાં ગુજરાત પણ એક ટોચનું રાજ્ય બન્યું છે. લુપ્ત થઈ રહેલી વહેલ શાર્ક માછલીને બચાવવા સૌરાષ્ટ્રના કિનારે ઊડીને આંખે વળગે એવું કાર્ય લોકભાગીદારીથી થઈ રહ્યું છે. મોરારિબાપુની સંવેદનાસભર અપીલ સાથે બે દાયકા પૂર્વે શરૂ થયેલી ઝુંબેશનાં હૈયું હરખાય એવાં પરિણામ સામે આવ્યાં છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં ૯૫૦થી વધુ વહેલ શાર્કને દરિયામાં મુક્ત કરવામાં આવી છે. દરિયાઈ જીવ બચાવવાનું આવું ઉમદા કાર્ય દુનિયાના કોઈ ખૂણે થયું નથી.
આપસે ભી ખૂબસૂરત ખ આપકે અંદાજ હૈ...
અઢારમી લોકસભા ચૂંટણી યાદ રહેશે જે રીતે એ લડાઈ, જે રીતે એક્ઝિટ પોલમાં ઓમ ધબાય નમઃ થયું ને જે રીતે ચાર જૂને ટીવીવાળા ભોંઠા પડ્યા એ માટે... કહો કે ઈલેક્શન કરતાં એના તોરતરીકા મજેદાર હતા.
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.