અનંત અંતરિક્ષમાં જો ક્યાંય જીવન ધબકતું હોય તો ત્યાં સંદેશો મોકલવાના ઘણા પ્રયાસો મનુષ્યજાતિએ કર્યા છે. કિંતુ એ સંદેશાઓ અનુત્તરત જ રહ્યા. એક દિવસ, ચીનના કોઈ રિસર્ચ સેન્ટરમાં એક યુવતીને પરગ્રહવાસીઓનો આવો પ્રત્યુત્તર મળ્યો, ‘જવાબ ન આપીશ. હું આ વિશ્વમાં શાંતિવાદી છું. તું ભાગ્યશાળી છે કે તારો સંદેશો સૌથી પહેલાં મેં સાંભળ્યો. હું તને ચેતવણી આપું છું કે જવાબ ન આપીશ. જો તું આ સંદેશાનો જવાબ આપીશ તો અમે ત્યાં આવીશું. તારા ગ્રહને જીતી લઈશું. જવાબ ન આપીશ.' આવું થાય તો ધરતી, મનુષ્યજાતિ અને સંસારનું જરાક પણ હિત ઇચ્છનારી વ્યક્તિ ભયગ્રસ્ત થઈને જવાબ આપવાનું ટાળે, પણ એ યુવતીનો માણસજાત પરથી વિશ્વાસ જ ઊઠી ગયેલો. તેણે ચેતવણી અવગણીને પ્રત્યુત્તર આપ્યો, ‘આવો. અમે ખુદને બચાવી નહીં શકીએ. હું આ ગ્રહ જીતવામાં તમારી મદદ કરીશ.’ અને યુવતીના આ નિર્ણયથી ચારેક સદી બાદ મનુષ્યજાતિનો ખાતમો થશે એ લગભગ નિશ્ચિત થઈ ગયું!
આ દશ્ય છે ચીની લેખક લિયૂ સુસિનની નવલકથા પરથી બનેલી નેટફ્લિક્સની સિરીઝ ‘શ્રી બૉડી પ્રોબ્લેમ'ની પહેલી સિઝનનું. ૨૦૧૫માં સાયન્સ ફિક્શન તથા ફેન્ટસી કથાઓ માટેના પ્રતિષ્ઠિત હ્યુગો ઍવૉર્ડની વિજેતા ‘ધી થ્રી બૉડી પ્રોબ્લેમ’ નવલકથા ચીની વાચકોમાં તો ખાસ્સી લોકપ્રિય બની જ, પણ વિશ્વની પ્રમુખ ભાષાઓમાં અનુવાદિત થયા પછી એની લોકપ્રિયતા અત્યંત વધી. લિવૂ સુસિને આ શ્રેણીની બીજી બે નવલકથા ‘ધી ડાર્ક ફૉરેસ્ટ’ અને ‘ડેથ્સ ઍન્ડ’ પણ લખેલી. નવલકથાનું સિરીઝમાં રૂપાંતર કરવા માટે મૂળ કથામાં ઘણા ફેરફાર કરાયા છે, પણ સિરીઝ મુદ્દાની વાતથી ભટકતી નથી એટલે જોવાનો રોમાંચ જળવાઈ રહે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 27/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 27/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ