ઉત્તર ભારતનું ઉત્તરાખંડ ૨૦૦૭ સુધી તો ઉત્તરાંચલ હતું. ગઢવાલ અને કુમાઉમાં વિભાજિત તેર જિલ્લાઓ ધરાવતું આ ઉત્તરાખંડ એટલે આપણી દેવભૂમિ જ્યાં પ્રાચીન હિન્દુ મંદિરો અને મંદિર સમૂહો આપણી હિન્દુ પરંપરાઓના દીવાને અખંડ રાખે છે અને અખંડ રાખે છે શ્રદ્ધા અને આસ્થાની અવિરત યાત્રાને પણ.
અનેક તીર્થસ્થાનો અને યાત્રાધામોથી ઉનાળે માલામાલ થતાં આ રાજ્યના અલમોડા જિલ્લામાં અલ્મોડાથી માત્ર ૩૬ કિલોમીટર દૂર જાગેશ્વરધામ તરીકે પ્રચલિત ૧૨૪ શિવ મંદિરોનો સમૂહ છે, જે સાતમીથી ચૌદમી સદીનો ઇતિહાસ લઈને સદીઓથી શિવપ્રેમી પ્રવાસીઓને અને સ્થાપત્યના અભ્યાસુઓને આકર્ષે છે.
આ કુમાઉ પ્રદેશની જાગેશ્વરવેલીમાં સ્થિત આ શિવ મંદિરો જટાગંગાના કિનારે ૬,૧૩૫ ફૂટની ઊંચાઈ પર દેવદારનાં જંગલોની વચ્ચે આવેલાં છે. લિંગ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ દ્વારા સ્થાપિત બાર જ્યોતિર્લિંગમાં નું એક આ જાગેશ્વરધામ સપ્તઋષિઓની તપોભૂમિ છે, જે અનુષ્ઠાનો, યજ્ઞો અને વિશ્વ પ્રવાસીઓના શ્રદ્ધેય દર્શનથી સભર છે. એટલું જ નહીં, સ્કંદપુરાણના માનસ ખંડમાં ઉલ્લેખિત આ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગના પ્રવાસ વૃત્તાંતમાં પણ જોવા મળે છે.
એક જમાનામાં કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાનનો એક વિરામ ગણાતું જાગેશ્વરધામ શિવના અઠ્યાવીસમાં અવતાર લકુટ એટલે દંડ ધારણ કરેલા લકુલીશના લકુલીશ શૈવિઝમનું કેન્દ્ર પણ હતું અને સાધકોની સાધનાથી સમૃદ્ધ હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ મુજબ ૨૫૦૦ વર્ષ પ્રાચીન આ મંદિર સમૂહો ગુપ્તકાળ પછી સાતમીથી બારમી સદી સુધીમાં અહીં રાજ કરતાં કહ્યુરી રાજાઓએ બંધાવેલાં મધ્યયુગીન મંદિરો છે.
જટાગંગાના ડાબા કિનારે ખૂબ ઊંચા દળદાર દેવદારનાં વૃક્ષો વચ્ચે પથરાયેલાં આ મંદિરોમાં શિવ, લકુલીશ, જાગેશ્વર, કેદારેશ્વર, મૃત્યુંજય, પુષ્ટિદેવી, લક્ષ્મી, દુર્ગા અને ચંડિકા બિરાજમાન છે.
એક માન્યતા મુજબ સ્વર્ગારોહિણી તરફના મહાપ્રસ્થાન પહેલાં પાંડવોએ અહીં જાગેશ્વરમાં જટાગંગાના કિનારે પૂજા-અર્ચના અને વિધિવિધાનો કરેલા અને આથી જ જાગેશ્વર મંદિર સમૂહોને અડીને વહેતી પતિતપાવન જટાગંગાનો કિનારો અહીંનાં આસપાસનાં ગામોનું સ્મશાન છે, જ્યાં દરેક ક્ષણે થતાં એકાદ અગ્નિસંસ્કારથી વાતાવરણ ધુમાડાના લેયર્સમાં લપેટાયેલું અને ઘૂસર હોય છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ